ગુજરાત

gujarat

By

Published : Jan 21, 2021, 6:16 PM IST

ETV Bharat / state

નડિયાદમાં નવા રેશનકાર્ડ ધારકોનો સામુહિક અભિવાદન સમારોહ યોજાયો

રાજ્યભરમાં 10 લાખ કુટુંબોની 50 લાખની જનસંખ્યાને એન.એફ.એસ.એ હેઠળ આવરી લેવામાં આવી છે. માનનીય મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના 101 તાલુકાઓમાં નવા રેશનકાર્ડ ધારકોને સામૂહિક અભિવાદન સમારોહમાં હાજરી આપી હતી. નડીયાદ ખાતે મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સમારોહ યોજાયો હતો.

રેશનકાર્ડ ધારકોનો સામુહિક અભિવાદન સમારોહ
નડીયાદ

  • મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સમારોહ યોજાયો
  • જિલ્લામાં કુલ 5591 રેશનકાર્ડ ધારકોને અગ્રતા ધરાવતા કુટુંબોનો સમાવેશ
  • ખેડા જિલ્લામાં એન.એફ.એસ.એ ના કુલ 2,61,734 કાર્ડ છે,જેના કુલ લાભાર્થી 14,44,132 છે
    નડીયાદ

આ પ્રસંગે મુખ્ય દંંડક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ અન્વયે ખેડા જિલ્લામાં 1009 દિવ્યાંગ લાભાર્થીઓ, 589 વૃદ્ધ પેન્શન મેળવતા લાભાર્થીઓ, 967 બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ નોંધાયેલ શ્રમયોગીઓ, 1357 વિધવા સહાય મેળવતી બહેનોને અને 1669 નિરાધાર વૃધ્ધ સહાય યોજના લાભાર્થી મળીને કુલ 5591 રેશનકાર્ડ ધારકોને અગ્રતા ધરાવતા કુટુંબોનો સમાવેશ કરવામાં આવ્યો છે.વધુમાં દંડકે જણાવ્યું હતું કે રાજ્યનો કોઇપણ વ્યક્તિ ભૂખ્યો ન સુએ એવી સંવેદનાથી લોકડાઉનમાં પણ જરૂરીયાત મંદ ગરીબ નાગરિકોને અન્ન સહિત જીવન જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વિનામૂલ્યે અન્ન-વિતરણ કરાયું

ખેડા જિલ્લામાં એન.એફ.એસ.એ ના કુલ 2,61,734 કાર્ડ છે,જેના કુલ લાભાર્થી 14,44,132 છે જેમને એપ્રિલ 20 થી નવેમ્બર 20 સુધી એટલે કે આઠ મહિના સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ સરકાર દ્વારા 34,369 રેશનકાર્ડ ધારક જેના લાભાર્થીની સંખ્યા 1,70,612 સર્વને ઘઉં, ચોખા, ચણા, ચણાદાળ, ખાંડ અને આયોડાઇઝ્ડ મીઠુંનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું.

નડીયાદ

પેન્શન મેળવતા વડીલોને મળશે રાહત દરે અનાજ

જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે ખેડા જીલ્લા પુરવઠા વિભાગની કામગીરીની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, માન્યતા પ્રાપ્ત દિવ્યાંગ વ્યક્તિઓને વ્યક્તિગત એન.એફ.એસ.એ કાર્ડ આપી લાભ આપવામાં આવશે. નગર-શહેરો અને ગામમાં વસતા નાના-નાના વ્યાપાર ધંધા જેવા કે રિક્ષા ચાલક, મિનિ ટેમ્પો ચાલક અને રોજ કમાઈને રોજ ખાનારા પરીવારોને રાહત દરે અનાજ નો લાભ આપવામાં આવશે. આ ઉપરાંત વૃદ્ધ પેન્શન યોજના અન્વયે કેન્દ્ર-રાજ્ય સરકારની આ યોજનામાં પેન્શન મેળવતા વરિષ્ઠ વડીલોની વયવંદના કરતા તેમને પણ રાહત દરે અનાજ મળી રહેશે.

પદાધિકારીઓ, લાભાર્થીઓ સહિત ગ્રામજનો રહ્યા ઉપસ્થિત

અંતમાં આભારવિધિ જિલ્લા પુરવઠા અધિકારીએ કરી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, નિવાસી અધિકારી કલેકટર રમેશ મેરજા, મામલતદાર ગ્રામ્ય-શહેરી, નડિયાદ નગરપાલિકાના સભ્ય મનીષભાઈ, સંજયભાઈ, પ્રવીણભાઈ, જાનવીબેન સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

નડીયાદ

ABOUT THE AUTHOR

...view details