ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢના માળિયા હાટીનામાં મગફળીના નામે કોણ કરી રહ્યું છે ભ્રષ્ટાચાર?

તાજેતરમાં જૂનાગઢ માળિયા હાટીનામાં ટેકાના ભાવે લેવાતી મગફળી ગડુ ગામના વેર હાઉસમાં પડી હતી. જોકે, સોના જેવી આ મગફળી રિજેક્ટ થતા મોટા પાયે હોબાળો મચ્યો હતો.

By

Published : Dec 28, 2020, 12:03 PM IST

જૂનાગઢના માળિયા હાટીનામાં મગફળીના નામે કોણ કરી રહ્યું છે ભ્રષ્ટાચાર?
જૂનાગઢના માળિયા હાટીનામાં મગફળીના નામે કોણ કરી રહ્યું છે ભ્રષ્ટાચાર?

  • જૂનાગઢ માળિયા હાટીનામાં મગફળીને રિજેક્ટ કરાઈ
  • સોના જેવી મગફળી રિજેક્ટ કરતા ખેડૂતોમાં રોષ
  • 5 જવાબદાર અધિકારીઓ પાસેથી જવાબ મગાયો
જૂનાગઢના માળિયા હાટીનામાં મગફળીના નામે કોણ કરી રહ્યું છે ભ્રષ્ટાચાર?

જૂનાગઢઃ આ અંગે સરકારની કડક સૂચનાથી અલગ અલગ 5 જવાબદાર અધિકારી વ્યક્તિને નોટિસ બજાવી ખુલાસો માગ્યો છે. હાલ આ રિજેક્ટ થયેલ મગફળી માળિયા હાટીનામાં મગફળી કેન્દ્ર પર 3331 ગુણી જેટલો જથ્થો પરત આવ્યો છે. તે મગફળીનું અલગ અલગ લોટ વાઈઝ રીસેમ્પલિંગ કરી સારો માલ અને ચોખ્ખો માલ અલગ કરી વેરહાઉસ મોકલશે. હવે વિચારવાનું એ છે કે, જે માલ ચાલે એવો નથી તેનું શું? અધિકારીઓના ગોળ ગોળ જવાબથી પોતે છટકી રહ્યા છે.

જૂનાગઢના માળિયા હાટીનામાં મગફળીના નામે કોણ કરી રહ્યું છે ભ્રષ્ટાચાર?
તમામ લોકોનો એક જ પ્રશ્ન... તો જવાબદાર કોણ?

તમામ લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે કોણ સરકારને બદનામ કરવાનું કામ કરી રહ્યું છે. તે લોકમુખે મોટો વૈધિક સવાલથી માળિયા હાટીનામાં રાજકીય માહોલ ગરમાયો છે. તંત્ર જવાબદાર વ્યક્તિ સામે શું એક્શન લેશે? કે આ પ્રકરણ દબાવી દેવામાં આવશે. સરકાર કડક કાર્યવાહી કરવામાં કોની લાજ શરમ રાખે તેવું પણ લોક મુખે ચર્ચાય રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details