ગુજરાત

gujarat

ઈટીવી ભારતના દર્શકો માટે લીલી પરિક્રમા માર્ગના ઘરે બેઠા દર્શન

કોરોના સંક્રમણને કારણે ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા સરકારે રદ્દ કરી છે, ત્યારે જે માર્ગો પર ગત વર્ષે લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ જોવા મળતા હતા, તે માર્ગો આજે સુમસામ જોવા મળી રહ્યા છે. ત્યારે ઈટીવી ભારતના દર્શકોને ઘરે બેઠા પરિક્રમાના દર્શન કરાવવા માટે જઈ રહ્યું છે, પરિક્રમા રદ થવાને કારણે પરિક્રમા માર્ગનું દર્શન પણ આટલું જ ધાર્મિક મહત્વ પૂરું પાડે છે, ત્યારે દર્શકો માટે ખાસ પરિક્રમાના માર્ગ પરથી ઈટીવી ભારતનો વિશેષ અહેવાલ...

By

Published : Nov 28, 2020, 11:00 PM IST

Published : Nov 28, 2020, 11:00 PM IST

ઈટીવી ભારતના દર્શકો માટે લીલી પરિક્રમા માર્ગના ઘર બેઠા દર્શન
ઈટીવી ભારતના દર્શકો માટે લીલી પરિક્રમા માર્ગના ઘર બેઠા દર્શન

  • ઈટીવી ભારતના દર્શકો માટે પરિક્રમા માર્ગના દર્શનનો વિશેષ અહેવાલ
  • પરિક્રમાના માર્ગો પરિક્રમાર્થીઓ વિના બન્યા સુમસામ
  • જ્યાં લાખોની હાજરી જોવા મળતી હતી તે માર્ગો આજે ખાલીખમ
  • કોરોના સામે તકેદારી રાખતા પરિક્રમાર્થીઓના નહીં આવવાના નિર્ણયને નાગા સંન્યાસીઓ પણ વધાવ્યો
  • ઈટીવી ભારતના દર્શકો માટે પરિક્રમા માર્ગના પાવનકારી દર્શનનો લાભ
    ઈટીવી ભારતના દર્શકો કરી માટે લીલી પરિક્રમા માર્ગના ઘર બેઠા દર્શન

જૂનાગઢ: કોરોના સંક્રમણને કારણે પરિક્રમા રદ કરવામાં આવી છે, ત્યારે ઈટીવી ભારતના દર્શકો માટે આ ખાસ વિશેષ અહેવાલ લઈને આવ્યા છીએ. પરિક્રમા માર્ગનું દર્શન કરીને પણ પરિક્રમા જેટલું જ પુણ્ય મળે છે, ત્યારે ઈટીવી ભારતે તેમની સામાજિકની સાથે ધાર્મિક ભાવનાઓ અને જવાબદારીને અગ્રતા આપીને પરિક્રમા માર્ગ પર દર વર્ષે પરિક્રમામાં આવતા પરિક્રમાર્થીઓ પરિક્રમા માર્ગના અને ગીરનારના દર્શન કરે તે માટે અમે અમારા દર્શકો માટે પરિક્રમા રૂટ પરથી વિશેષ અહેવાલ લઈને આજે આવ્યા છીએ.

ઈટીવી ભારતના દર્શકો કરી માટે લીલી પરિક્રમા માર્ગના ઘર બેઠા દર્શન

પરિક્રમાર્થીઓ વિના આજે માર્ગો બન્યા સૂમસામ

કોરોના સંક્રમણમાં પાવનકારી ગિરનારની લીલી પરિક્રમા રાજ્ય સરકારે રદ કરી છે, ત્યારે જે માર્ગો પર ગત વર્ષે લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ જોવા મળતા હતા, તે માર્ગો આજે પરિક્રમાર્થીઓ વિના સુમસામ જોવા મળી રહ્યા છે. ગત વર્ષે આજ માર્ગો પર જ્યા નજર કરો ત્યા માત્ર માનવ મહેરામણ શિવાય કશું નજરે પડતું ન હતું, ત્યારે આ વર્ષે તેનાથી બિલકુલ વિપરીત દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યારે પરિક્રમા પથ આજે ભાવિકો વિના ખાલીખમ જોવા મળી રહ્યા છે.

ઈટીવી ભારતના દર્શકો કરી માટે લીલી પરિક્રમા માર્ગના ઘર બેઠા દર્શન

પરિક્રમાર્થીઓના નિર્ણયને નાગા સંન્યાસીઓએ પણ વધાવ્યો

કોરોનાને કારણે સરકારે પરિક્રમા રદ્દ કરી છે, ત્યારે કોરોના જેવી વૈશ્વિક મહામારીની ગંભીરતા સમજીને સરકાર અને પ્રશાસનના નિર્ણયની સાથે પરિક્રમાર્થીઓ જે હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે, તેને લઈને ભવનાથના નાગા સંન્યાસીઓ પણ પરિક્રમાર્થીઓના નિર્ણયને વધાવી રહ્યા છે, તેઓ જણાવી રહ્યા છે કે લોકોએ જે સમજદારી દાખવી છે તે ભૂલી શકાય તેમ નથી, આવી વૈશ્વિક મહામારીમાં લોકોએ જે ધીરજ અને સંવેદનશીલતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, તેને સમગ્ર સાધુ સમાજને નાગા સંન્યાસીઓ પણ આવકારી રહ્યા છે.

ઈટીવી ભારતના દર્શકો માટે લીલી પરિક્રમા માર્ગના ઘર બેઠા દર્શન

ABOUT THE AUTHOR

...view details