જૂનાગઢઃ જિલ્લાના માણાવદરના નાકરા ગામના આગેવાન દિવ્યેશ પાનસેરીયા ગટર અને રસ્તામાં ભ્રષ્ટાચાર મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, જિલ્લા વિકાસ અધિકારી જૂનાગઢ, તેમજ સાંસદ રમેશભાઇ ધડુક, કેબિનેટ પ્રધાન તથા કલેકટરને ગામના રોડ અને ગટરના કામની રજૂઆતો કરી છે, થોડા દિવસ પહેલાં દિવ્યેશ પાનસેરીયાએ ઓનલાઇન અરજી કરી છે. છતાં પણ પરિણામ આવ્યું નથી હવે ગામલોકો આંદોલન કરવા મક્કમ બન્યા છે, છેલ્લા એક વર્ષથી ગામલોકો તપાસ માગી રહ્યા છે, છતાં અધિકારીઓ કામ જોવા ના આવતા ગામમાં રોષ ભભુકી રહયો છે.
માણાવદરના નાકરા ગામે રૉડ તથા ગટરના કામમાં થયેલા ભ્રષ્ટાચાર થયો હોવાનો ગામલોકોએ આક્ષેપ કર્યો છે.