ગુજરાત

gujarat

By

Published : Nov 28, 2022, 4:10 PM IST

ETV Bharat / state

રેસ્ટોરન્ટના સંચાલકોનું આ નવું આયોજન, મતદાન કરીને જમવા આવતા તમામને ડિસ્કાઉન્ટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly election 2022) માટે પ્રથમ તબક્કાનું મતદાન હાથ ધરાવાને હવે દિવસોની ગણતરી બાકી રહી છે. એમાં જૂનાગઢમાં આવેલા પટેલ રેસ્ટોરન્ટ દ્વારા મતદાતાઓને જાગૃત કરી શકાય અને મતદાનની ટકાવારીમાં વધારો થાય તેેને અંતર્ગત રેસ્ટોરન્ટના સંચાલકો એક મોટી પહેલ કરી છે. જેમાં સંચાલકો યુવા સતદારોને જાગૃત કરવા માટે ભોજન પર ડિસ્કાઉન્ટ (New Strategy of Restaurant managers) આપવા જઈ રહ્યા છે.

રેસ્ટોરન્ટના સંચાલકોનું આ નવું આયોજન, મતદાન કરીને જમવા આવતા તમામને ડિસ્કાઇન્ટ
રેસ્ટોરન્ટના સંચાલકોનું આ નવું આયોજન, મતદાન કરીને જમવા આવતા તમામને ડિસ્કાઇન્ટ

જૂનાગઢઆગામી પહેલી ડિસેમ્બરના દિવસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી2022 (Gujarat Assembly election 2022 ) માટે પ્રથમ તબક્કાનું મતદાન (First Phase of Voting in Gujarat election 2022) હાથ ધરાવા થઈ રહી છે. ત્યારે જૂનાગઢમાં આવેલા પટેલ રેસ્ટોરન્ટ દ્વારા મતદાતાઓને જાગૃત કરી શકાય અને મતદાનની ટકાવારીમાં વધારો થાય તે માટે મતદાનના દિવસે પ્રત્યેક મતદાર કે જે મતદાનકરીને ભોજન કરવા માટે આવશે. તેવા તમામ ગ્રાહકોને કુલ બિલમાંથી 25 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત (Discounts at restaurants that increase turnout) કરી છે. જેને પ્રથમ વખત મત આપવા જઈ રહેલા મતદારો પણ આવકારી રહ્યા છે.

મતદારોને મતદાન પ્રત્યે વધુ જાગૃત કરી શકાય તે માટે પહેલી તારીખના દિવસે ભોજનમાં વિશિષ્ટ ડિસ્કાઉન્ટ ની જાહેરાત કરી છે

મત આપો અને મેળવો 25 ટકા ડિસ્કાઉન્ટઆગામી પહેલી તારીખે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનુ મતદાન હાથ ધરાવા જઈ રહેલુ છે. જેને લઇને જૂનાગઢના પટેલ રેસ્ટોરન્ટના સંચાલક (Manager of Patel Restaurant in Junagadh) શાંતિલાલ લાખાણીએ મતદાનની ટકાવારીમાં વધારો થાય અને મતદારોને મતદાન પ્રત્યે વધુ જાગૃત કરી શકાય તે માટે પહેલી તારીખના દિવસે ભોજનમાં વિશિષ્ટ ડિસ્કાઉન્ટની જાહેરાત (Advertisement of special discounts on meals) કરી છે. પહેલી તારીખે કોઈ પણ મતદાતા મતદાન કરીને ભોજન કરવા માટે આવે તો તેવા પ્રત્યેક ગ્રાહકને તેમના કુલ ભોજન બિલમાંથી 25 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત (Discounts to encourage young voters) પટેલ રેસ્ટોરન્ટના સંચાલક શાંતિભાઈ લાખાણીએ કરી છે. જેને પ્રથમ વખત મત આપવા જઈ રહેલા યુવાન મતદારોએ પણ ખૂબ જ પ્રોત્સાહક ગણાવી છે.

તમામ ગ્રાહકોને કુલ બિલમાંથી 25% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે જેને પ્રથમ વખત મત આપવા જઈ રહેલા મતદારો પણ આવકારી રહ્યા છે

રેસ્ટોરન્ટના માલિક અને યુવા મતદારે આપી પ્રતિક્રિયારેસ્ટોરન્ટના માલિક શાંતિભાઈ લાખાણીએ ETV Bharat સાથે તેમની આ ડિસ્કાઉન્ટ યોજનાને લઈને વિગતે ચર્ચા કરી હતી. તેઓ માની રહ્યા છે. દર પાંચ વર્ષે આવતું લોકશાહીનું આ મહાપર્વ ખૂબ જ ઉમળકાભેર ઉજવાય તેને લઈને તેઓ સતત વિચારી રહ્યા હતા. ત્યારે તેમના મનમાં મતદાનના દિવસે મતદાન કરીને આવનાર ગ્રાહકને 25 ટકા ડિસ્કાઉન્ટ આપવાથી મતદારોનો મતદાન પ્રત્યે વધુ રસ ઉભો થશે. જેના કારણે મતદાનની ટકાવારીમાં ખૂબ વધારો થઈ શકે તેમ છે. તેને ધ્યાને રાખીને તેમણે 25 ટકા ડિસ્કાઉન્ટની મતદાનના દિવસે જાહેરાત કરી છે, તો બીજી તરફ પ્રથમ વખત મત આપવા જઈ રહેલા મતદાર નિવેદિતાએ પણ જણાવ્યું હતું કે, મતદાનની ટકાવારીમાં વધારો થાય અને પ્રત્યેક મતદાર મતદાન કરવાને લઈને જાગૃત બને તે માટેનું પટેલ રેસ્ટોરન્ટના સંચાલકોનું આ નવું આયોજન ખરેખર મતદાતાની સાથે મતદાનની ટકાવારીમાં પણ ખૂબ ઉત્સાહજનક વધારો કરી શકશે.

ABOUT THE AUTHOR

...view details