- જૂનાગઢના તળાવ દરવાજા વિસ્તારમાં ધોળે દિવસે ચોરીનો બનાવ
- 80 હજાર રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી
- ફરિયાદને આધારે જૂનાગઢ બી ડિવિઝનપોલીસે હાથ ધરી તપાસ
જૂનાગઢ : શહેરમાં આવેલા તળાવ દરવાજા વિસ્તારમાં આવેલા શાંતિ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા રાજેશ અમૃતિયાના મકાનમાં સોમવારની સાંજે 6થી 8 કલાકના અરસામાં ચોરીની ઘટના બની હતી. બે કલાકમાં તસ્કરો ઘરમાં પ્રવેશીને કેટલીક રોકડ અને સોના-ચાંદીના દાગીના લઇને ફરાર થઇ જતા બી ડિવિઝન પોલીસમાં રાજેશ અમૃતિયાએ ચોરીની ફરિયાદ નોંધાવી છે. જે અંતર્ગત જૂનાગઢ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો -જૂનાગઢ પોલીસે ભારતીય બનાવટના 16 ગેરકાયદેસર હથિયાર અને 15 કારતૂસ ઝડપી પાડયા