જામનગર : કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રાજયના વિવિધ વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોને બસ અને હાલ ટ્રેન દ્વારા પોતાના વતન પહોંચવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
જિલ્લામાં પણ દરેક, શહેર સહિતના અન્ય વિસ્તારમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને જિલ્લા વહિવટી તંત્ર અને પશ્ચિમ રેલવે મેનેજમેન્ટ દ્વારા આજરોજ સોમવારે જામનગર રેલવે જંકશન ખાતેથી અંદાજે 1200 પરપ્રાંતિય શ્રમિકો અને તેમના પરિવારને ઉત્તરપ્રદેશના ગાઝીપુર ખાતે વતનમાં પરત ફરવા માટે ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. શ્રમિકોને વતન જવા માટે તંત્ર દ્વારા શહેરથી ઉત્તરપ્રદેશ માટે આ છઠ્ઠી ટ્રેન મોકલવામાં આવી છે. હાલ સુધીમાં જામનગરથી કુલ પાંચ ટ્રેનો શ્રમિકોને લઇને રવાના થઇ ચૂકી છે. જેમાં ૪ ટ્રેનો ઉત્તરપ્રદેશ માટે અને ૧ ટ્રેન બિહાર માટેની હતી.