ગુજરાત

gujarat

બોલો... જામનગરની સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલે મૃતક કોરોનાના દર્દીઓના નામે 22 રેમડેસીવીર મંગાવ્યા

By

Published : May 7, 2021, 11:12 AM IST

એક તરફ દરેક જગ્યાએ રેમડેસીવીર ઈન્જેક્શનની અછત સર્જાઈ રહી છે તો બીજી તરફ કેટલાક લોકો ખોટા નામે રેમડેસીવીર મેળવી રહ્યા છે તો કેટલાક લોકો રેમડેસીવીરની કાળાબજારી કરી રહ્યા છે, પરંતુ જામનગરમાં તો સ્વામિનારાયણ ગુરુકુલની કોવિડ હોસ્પિટલમાં એક કલંક લગાવે તેવી ઘટના સામે આવી છે. અહીં સ્વામિનારાયણ ગુરુકુલ કોવિડ હોસ્પિટલમાંથી 22 રેમડેસીવીર ઈન્જેક્શન મળી આવતા તંત્ર દોડતું થયું છે. આ હોસ્પિટલ મૃતક અને ડિસ્ચાર્જ થયેલા કોરોનાના દર્દીઓના નામે રેમડેસીવીર મગાવતું હતું.

બોલો... જામનગરની સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલે મૃતક કોરોનાના દર્દીઓના નામે 22 રેમડેસિવિર મગાવ્યા
બોલો... જામનગરની સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલે મૃતક કોરોનાના દર્દીઓના નામે 22 રેમડેસિવિર મગાવ્યા

  • જામનગરની સ્વામિનારાયણ ગુરુકુલ કોવિડ હોસ્પિટલમાંથી મળ્યા 22રેમડેસીવીર
  • કોવિડ હોસ્પિટલમાંથી એક સાથે 22રેમડેસીવીરમળતા તંત્ર દોડતું થયું
  • પ્રાન્ત અધિકારીઓ અને DySP સહિતના અધિકારીઓએ તપાસ શરૂ કરી

જામનગરઃ શહેરમાં આવેલી સ્વામિનારાયણ ગુરુકુલની કોવિડ હોસ્પિટલમાંથી 22 રેમડેસીવીર એકસાથે મળી આવ્યા હતા, જેના કારણે તંત્ર દોડતું થયું છે. પ્રાન્ત અધિકારી અને DySP સહિતના અધિકારીઓ ગુરુકુલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને અહીં તપાસ શરૂ કરી હતી. આ સાથે જ મંદિરના નામે ચાલતા કોવિડ હોસ્પિટલ પર કલંક લાગ્યો છે.

પ્રાન્ત અધિકારીઓ અને DySP સહિતના અધિકારીઓએ તપાસ શરૂ કરી

આ પણ વાંચોઃહવે નકલી રેમડેસિવિર વેચનારાની ખેર નહીં, GTUએ રેમડેસિવિરની ચકાસણી કરવા મેથડ બનાવી

મૃત દર્દીઓના નામે અને ડિસ્ચાર્જ દર્દીઓના નામે લેવામાં આવતા ઈન્જેક્શન

જામનગરના પ્રાન્ત અધિકારી આસ્થા ડાંગર અને DySP કૃષ્ણા દેસાઈ સાંજના સમયે ગુરુકુલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં 3 કલાક સુધી હોસ્પિટલના વિવિધ રેકોર્ડ તપાસ્યા હતા અને ડોક્ટરોની પૂછપરછ કરી હતી. તે દરમિયાન વિગતો બહાર આવી છે કે, મૃત કોરોનાના દર્દીઓના નામે પણ સ્વામિનારાયણ ગુરુકુળ હોસ્પિટલ દ્વારા રેમડેસીવીર ઈન્જેક્શન મગાવવામાં આવતા હતા અને જે દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા હતા તેમના નામે પણ રેમડેસીવીર મગાવવામાં આવતા હતા.

કોવિડ હોસ્પિટલમાંથી એક સાથે 22 રેમડેસિવિર મળતા તંત્ર દોડતું થયું

આ પણ વાંચોઃઆણંદમાં નકલી રેમડેસીવીર ઇન્જેક્શન સાથે શખ્સ ઝડપાયો

હોસ્પિટલ સંચાલકો સામે લેવાશે પગલાં

સમગ્ર મામલાની તપાસ DySP કૃણાલ દેસાઈ કરી રહ્યા છે અને આરોગ્ય વિભાગને પણ સાથે સાંકળીને સ્વામિનારાયણ ગુરુકુલ હોસ્પિટલમાંથી 22 રેમડેસીવીર મળી આવતા કાયદેસરની કાર્યવાહી થાય તેવી શક્યતા છે. કોરોના મહામારીમાં રેમડેસીવીર ઈન્જેક્શનની કાળાબજારી થઈ રહી છે.

જામનગરની સ્વામિનારાયણ ગુરુકુલ કોવિડ હોસ્પિટલમાંથી મળ્યા 22 રેમડેસિવિર

ABOUT THE AUTHOR

...view details