6 કરોડનું કૌભાંડ, 135 સભ્યોએ CM ઓફિસ બહાર આપી આત્મવિલોપનની ચિમકી
જામનગર: જામજોધપુર કો-ઓપરેટિવ બેંકમાં 6 કરોડનું કૌભાંડ થયું હોવાનું 2 વર્ષ પહેલા વિવિધ સભ્યોએ તંત્ર સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી. જેનો કોઇ ઉકેલ ન આવતા આખરે તમામ ભોગ બનેલા લોકોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.
જામનગરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમમાં જામજોધપુર કો-ઓપરેટિવ બેંકમાં છેતરપિંડીનો ભોગ બનેલા સભ્યો હાજર રહ્યા હતા. જોકે આ સભ્યોને જીલ્લા કલેક્ટરે એવો જવાબ આપ્યો કે તેમનો કેસ ચાલતો હોવાથી તેઓ તેમાં કઇ પણ કરી શકે નહીં.
જામજોધપુર કો-ઓપરેટીવ બેંકમાં બે વર્ષ પહેલા 135 જેટલા સભ્યો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી અને 6 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા સ્વાગત કાર્યક્રમમાં લોકોના વિવિધ પ્રશ્નોનું તાત્કાલિક સોલ્યુશન આવે તે માટે બોલાવવામાં આવતા હોય છે. પણ અહીં તો કંઇક અલગ જ જોવા મળ્યું હતું.