ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં લોકસભા ચૂંટણી અંતર્ગત "મેં ભી ચોકીદાર" અભિયાનનું આયોજન કરાયું

જામનગર: લોકસભાની ચૂંટણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારો સાથે સીધો સંવાદ કર્યો હતો. આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપે "મેં ભી ચોકીદાર" અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. દેશમાં ગરીબ, ભ્રષ્ટાચાર, ગંદકી, અને અન્ય સામાજીક દુષ્ણો સામે લડવાવાળા તમામ લોકો ચોકીદાર છે.

By

Published : Apr 1, 2019, 5:51 PM IST

સ્પોટ ફોટો

આજે જે કોઈ ભારતની પ્રગતિ મારે સાર્થક પ્રયત્નો કરી રહ્યા છે તે તમામ લોકો કહી રહ્યા છે "મેં ભી ચોકીદાર". આગામી જામનગર શહેરમાં આ કાર્યક્રમ ગુર્જર સુથારની વાડી, ગાંઘીનગર મેઈન રોડ, જામનગર ખાતે આયોજીત કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ગુજરાત સરકાર કેબિનેટ મિનિસ્ટર આર.સી.ફળદુ, ગુજરાત સરકાર રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) સહીત ભાજપ શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, જિલ્લા પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ સહીત સંગઠન, વિવિધ મોરચાના કાર્યકર્તાઓ કાર્યક્રમમાં બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા. જામનગર શહેર તથા જિલ્લામા વસતા લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરમાં લોકસભા ચૂંટણી અંતર્ગત"મેં ભી ચોકીદાર" અભિયાનનું આયોજન કરાયું

ABOUT THE AUTHOR

...view details