ગુજરાત

gujarat

ETV Bharat / state

મેડીકલ ઈમરજન્સીના કારણે ઈન્ટરનેશનલ ફ્લાઈટનું જામનગરમાં કરાયું લેન્ડિંગ

જામનગર: શહેરના એરપોર્ટ પર દિલ્હીથી મસ્કત જતી ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ છે. જામનગરના ઈતિહાસમાં પ્રથમવાર આવી ઘટના બની છે. જેમાં કોઈ ઈન્ટરનેશનલ ફ્લાઈટનું લેન્ડિંગ થયું હોય.

By

Published : May 20, 2019, 4:38 AM IST

સ્પોટ ફોટો

દિલ્હીથી મસ્કત જતી ફ્લાઈટને જામનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. ભારતીય મુસાફર ગોરખનાથ નાયકને અચાનક હાર્ટમાં તકલીફ ઊભી થતા મેડિકલ ઈમરજન્સીના કારણે ફ્લાઈટને જામનગર એરપોર્ટ પર લેન્ડિંગ કરવાની ફરજ પડી છે. ફ્લાઈટના દર્દી ગોરખનાથ નાયકને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અહીં દર્દીને સારવાર આપવાની કામગીરી શરૂ છે.

ઈન્ટરનેશનલ ફ્લાઈટનું જામનગરમાં કરાયું લેન્ડિંગ

જામનગર એરપોર્ટનો પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે, મેડિકલ ઈમરજન્સીના કારણે મસ્કતની ફ્લાઈટને જામનગર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. જામનગરના ઈતિહાસમાં પ્રથમવાર એવું બન્યું કે કોઈ ઈન્ટરનેશનલ ફ્લાઈટનું લેન્ડિંગ થયું છે.

ABOUT THE AUTHOR

...view details