ગુજરાત

gujarat

By

Published : Oct 29, 2020, 8:12 PM IST

ETV Bharat / state

જામજોધપુરના પરડવા ગામની જમીન પ્રકરણમાં હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર હરકતમાં...

જામજોધપુરના પરડવા ગામે વનવિભાગની જમીન અંગે જાહેર હીતની અરજી કરવામાં આવી હતી. આ મામલે ગુજરાત હાઇકોર્ટે પરડવાની ફોરેસ્ટ વિભાગની જમીનની માપણી કરવાના આદેશ આપ્યા હતા. ત્યારબાદ જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા વન વિભાગની જમીનની માપણી કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

jamjodhpoor
jamjodhpoor

  • પરડવા ગામની જમીન પ્રકરણમાં હાઇકોર્ટે જમીનની માપણીના આપ્યા આદેશ
  • પોલીસ બંદોબસ્ત સાથે રિસર્વેની કામગીરી કરાઇ
  • વન વિભાગની 1,250 વિઘા જમીનમાં દબાણો

જામનગરઃ જામજોધપુર તાલુકાના પરડવા ગામે ફાળવવામાં આવેલી જમીન અંગે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. PIL 168/2018 અન્વયે હાઈકોર્ટના ઑર્ડર મુજબ વન વિભાગ, રેવન્યુ વિભાગ અને DILR દ્વારા ચાંપતા પોલીસ બંદોબસ્ત સાથે માપણી અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વન વિભાગની 1,250 વિઘા જમીનમાં દબાણો

નામદાર હાઈકોર્ટ દ્વારા જમીનની માપણી કરવા આદેશ

જામજોધપુર તાલુકાના પરડવા ગામે સરકારી જમીન ફાળવવા સામે પરડવા ગ્રામ પંચાયત દ્વારા હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવામાં આવી હતી. આ પ્રકરણ બહુ ચર્ચિત બન્યું હતું જે અંતર્ગત નામદાર હાઈકોર્ટ દ્વારા જમીનની માપણી કરવા આદેશ કરવામાં આવ્યા હતા. જેને લઈને તંત્ર દ્વારા માપણીના આયોજન માટે વન વિભાગ તથા અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને બાદમાં પરડવા ગામે આવેલી આ જમીનની માપણી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

હાઇકોર્ટે જમીનની માપણીના આપ્યા આદેશ
વન વિભાગની 1,250 વિઘા જમીનમાં દબાણોજે દરમિયાન વનવિભાગની જગ્યામાં મોટા પાયે દબાણ થયું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. વન વિભાગની 1,250 વિઘા જમીનમાં દબાણો ઉભા થઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. વન વિભાગની જગ્યામાં વાડી- ખેતરો ઉભા થઈ ગયા છે. ઉપરાંત કાચા, પાકા મકાનો પણ બની ગયા હોવાનું વિગતો સાંપડી રહી છે. અમુક હિસ્સામાં તો ખાનગી કંપનીની બે પવનચક્કીઓ પણ ઊભી થઇ ગઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે તમામ બાબતે તંત્ર દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે.
પોલીસ બંદોબસ્ત સાથે રિસર્વેની કામગીરી કરાઇ

ABOUT THE AUTHOR

...view details