ગુજરાત

gujarat

By

Published : Jul 11, 2019, 1:52 PM IST

ETV Bharat / state

જામનગરમાં ચાની દુકાનમાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ

જામનગરઃ શહેરમાં સજુબા સ્કૂલ નજીક ચાની દુકાનમાં સવારે એકાએક આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. જો કે, ફાયર ફાઈટરની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાન હાની થઈ નથી.

JMR

જામનગરની સજુબા સ્કૂલ નજીક આવેલ ચાની દુકાનમાં વહેલી સવારે ગેસનો બાટલો લીકેજ થતાં દુકાનમાં એકા એક આગ ભભુકી હતી. આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળા એકઠા થયા હતા.

ફાયરફાયટરની મદદથી આગ પર તાત્કાલીક કાબુ મેળવવામાં આવ્યો હતો. જોકે, સદનસીબે કોઈ જાન હાની થઈ ન હતી, પરંતુ આગથી દુકાન બળીને ખાખ થઈ હતી.

જામનગરમાં ચા ની દુકાનમાં લાગી આગ

ABOUT THE AUTHOR

...view details