ગુજરાત

gujarat

By

Published : Jan 5, 2020, 4:30 PM IST

ETV Bharat / state

જામનગર: આયુર્વેદિક યુનિવર્સિટીમાં બે દિવસ આયુર્વેદિક સ્વાસ્થ્ય મેળાનું આયોજન

જામનગર: આયુર્વેદિક યુનિવર્સિટીમાં બે દિવસ આયુર્વેદિક સ્વાસ્થ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વાસ્થ્ય મેળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય પ્રધાન શ્રીપદ યેસ્સો નાઇકના હસ્તે કરવામાં આવ્યું હતું.

jamnagar
જામનગર

જામનગરમાં આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા બે દિવસીય આયુર્વેદ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય પ્રધાન શ્રીપદ યેસ્સો નાઈકના હસ્તે આયુર્વેદ સ્વાસ્થ્ય મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ આયુર્વેદિક સ્વાસ્થ્ય મેળામાં 40 જેટલા સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા.

આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા. જેમાં નાના બાળકોથી લઈ વૃદ્ધ વ્યક્તિઓને પણ સ્થળ પર જ સારવાર અને દવા આપવામાં આવી હતી. જામનગરમાં દર વર્ષે આયુર્વેદિક સ્વાસ્થ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details