- આરોગ્ય કર્મચારીઓ ઘરે ઘરે જઈને તપાસ હાથ ધરશે
- કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના ગામોમાં અભિયાનનો પ્રારંભ
- નિક્ષય પોષણ સહાય યોજના અંતર્ગત મહિને 500ની સહાય કરાશે
ગીર સોમનાથ:જિલ્લાના બે તાલુકામાં ડોર ટુ ડોર તપાસ હાથ ધરી ટીબીના કેસો શોધવાના અભિયાનને જિલ્લા આરોગ્ય વિભાગના તબીબ અધિકારીઓ દ્વારા પ્રારંભ કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2025 સુધીમાં દેશમાંથી ટીબી રોગનું નાબૂદ કરવા આહવાન કરેલું છે. જેના ભાગરૂપે, રાજ્ય સરકારે ટીબીના રોગને મુક્ત કરવા અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત મેડીકલ એક્સ-રે અને સીબીનાટ વાન (ગળાફાની તપાસ) માટે 23 માર્ચથી 8 એપ્રીલ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના ગામોમાં આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઇને ટીબીના કેસો શોધવાની કામગીરી હાથ ધરશે. આ અભિયાનનો પ્રારંભ જિલ્લા અધિકારી ડૉ. બામરોટીયા તથા IMAના પ્રમુખ ડૉ. દીલીપ પરીખે કરાવ્યો હતો.
આ પણ વાંચો:મહીસાગરના હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્ર કેનપુર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
આરોગ્ય કર્મીઓનું ડોર ટુ ડોર સર્વે