તાલાલાનાં ખેડૂતો પર કુદરત સાથે સરકાર પણ કોપાયમાન ! Etv Bharatનો વિશેષ અહેવાલ
ગીર સોમનાથઃ જિલ્લાના તાલાલા તાલુકાના ખેડૂતો મોટાભાગની મગફળીના રિજેક્શન મુદ્દે ખેડૂતો સરકાર વિરૂદ્ધ રોષે ભરાયા છે. તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ ટેકાની ખરીદી રોકી અને ખેડૂત એકતા ઝીંદબાદના નારા સાથે હોબાળો બોલાવ્યો હતો. ખેડૂતોની માંગ છે કે, સરકાર મગફળીના અધિકતમ ડેમેજની ટકાવારી 2થી વધારીને 3 કે 4 ટકા કરે.
તાલાલામાં ખેડુતોનો હોબાળો
સરકાર દ્વારા થતી મગફળીની ટેકાની ખરીદી વિવાદનો મુદ્દો બન્યો છે. ગીરસોમનાથના તાલાલાના ખેડૂતો સરકાર દ્વારા મગફળીની ખરીદીના વિલંબના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડુતો પાસે શેડની સુવિધા ન હોવાથી મગફળીની ગુણવત્તા બગડી રહી છે.