ગુજરાત

gujarat

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ બ્રહ્મસમાજનું મહાઅધિવેશન યોજાયું

ગીરસોમનાથઃ સૌરાષ્ટ્ર અને કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના અધિવેશનમાં બ્રાહ્મણ અગ્રણીઓએ બ્રાહ્મણોને કર્મકાંડની સાથે-સાથે ટેકનોલોજી અને અર્વાચીન પદ્ધતિઓનો ઉપયોગ કરી અને આધુનિક સમય સાથે તાલમાં તાલ મિલાવી અને ચાલવા આહવાન કર્યું હતું.

By

Published : Apr 15, 2019, 3:04 AM IST

Published : Apr 15, 2019, 3:04 AM IST

Updated : Apr 15, 2019, 5:16 PM IST

બ્રહ્મસમાજનું મહાઅધિવેશન

હરિ અને હર એટલે કે શિવ અને શ્રી કૃષ્ણની ભૂમિમાં બ્રહ્મસમાજના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના બ્રાહ્મણો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના બ્રાહ્મણ અગ્રણીઓએ સાથે મળીને સૌરાષ્ટ્ર કચ્છના બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે છેલભાઈ જોષી અને ગીરસોમનાથ જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે મિલનભાઈ જોષીની નિમણૂક કરી હતી. તો સાથે જ આ અધિવેશનમાં બ્રહ્મસમાજની સૌથી મોટી નબળાઈ માનવામાં આવતી એકતાના અભાવની સમસ્યાને પ્રાથમિકતા આપી અને બ્રાહ્મણ એકતા માટે અધિવેશન પ્રેરણારૂપ બન્યું હતું.

બ્રહ્મસમાજનું મહાઅધિવેશન
આ અધીવેશનમાં ગીરસોમનાથ, અમરેલી,જૂનાગઢ, કચ્છ, મોરબી અને રાજકોટના બ્રાહ્મણોએ ભારે માત્રામાં ભાગ લઈ "સંઘ શક્તિ કલીયુગે"ના સૂત્રનો સ્વીકાર કરી અને એકતાની દિશામાં પ્રયત્નો કરવા નિર્ણય કર્યો હતો.
Last Updated : Apr 15, 2019, 5:16 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details