ગુજરાત

gujarat

By

Published : Jan 29, 2020, 3:11 PM IST

ETV Bharat / state

ચીનમાં 93 જેટલા વિધાર્થીઓ ફસાયા, ગુજરાત સરકારને એક દિવસમાં 125 ફોન આવ્યાં

કોરોના વાઇરસને લઈને ચીન સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે, ત્યારે ગુજરાતના સૌથી વધુ વિદ્યાર્થીઓ ચાઇનામાં હોવાનું પણ રાજ્ય સરકારના ધ્યાને આવ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખાસ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના તમામ વિદ્યાર્થીઓની માહિતી કયા વિદ્યાર્થીઓ કઈ જગ્યાએ છે તે માહિતી એકત્ર કરીને કેન્દ્ર સરકારને સોંપવામાં આવી છે.

Gandhinagar
ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કોલ સેન્ટર

ગાંધીનગર: ચીનમાં કોરોના વાઈરસને લઈને અત્યારે હાહાકાર મચી ગયો છે, ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ અને અમુક પોતાના કામથી ચાઇના ગયેલા હોય તેવા લોકો ચાઇનામાં ફસાયા છે, ત્યારે તેઓને પરત લાવવા માટે ગુજરાત સરકારે તાત્કાલિક ધોરણે ઇમરજન્સી કોલ સેવા શરૂ કરી છે. જેમાં રાજ્યના વિધાર્થીઓને પરત લાવવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ કેન્દ્ર સરકારમાં વાતચીત શરૂ કરી છે. અત્યાર સુધીમાં રાજ્યમાંથી કુલ 125 જેટલા ફોન આવી ગયા છે જ્યારે રાજ્ય સરકાર તમામ વિધાર્થીઓ ગુજરાત પરત ફરે તે રીતે વ્યસ્થાઓ ગોઠવી છે.

ચાઇનામાં 93 જેટલા વિધાર્થીઓ ફસાયા
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરના આદેશ આપીને જે ગયા હોય તે લોકોની ડિટેલ પણ મંગાવી છે ત્યારે, રાજ્ય સરકારે પણ ઈમરજન્સી સર્વિસ શરૂ કરીને સામેથી જે ફોન આવે તે વિગતો પણ મેળવવાની શરૂઆત કરી છે. જ્યારે અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત જેવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર પણ આરોગ્ય વિભાગ દ્વારા સ્ક્રિનિંગ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે જેથી ગુજરાતમાં કોરોના નામનો વાઇરસ બેસી ના શકે.

ABOUT THE AUTHOR

...view details