સમગ્ર દેશમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલય માનવ સંસાધન પ્રધાન કાર્યાલય હેઠળ આવતી હોય છે, રવિવારના રોજ ગાંધીનગરમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં માનવ સંસાધન પ્રધાન ડૉ. રમેશ પોખરીયાલ મહેમાન બન્યા હતા. ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભરત વઢેર સહિત કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય વિદ્યાલયના આચાર્ય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સાવ નૃત્ય રજૂ કરીને સૌ કોેઈને દંગ કરી દીધા હતા.
માનવ સંસાધન પ્રધાને કહ્યું કે હું હંમેશા શાળા-કોલેજોમાં જાઉં છું, ત્યારે વિદ્યાર્થીઓને પૂછ્યું કે તમે શું બનવા માંગો છો ? અનેક લોકો ડોક્ટર અને એન્જિનિયર બનવાની વાતો કરે છે. પરંતુ હું એવું કહું છું કે, તમે પ્રોફેસરનો શિક્ષણ સાથે સંકળાયેલા રહો કારણ કે કે એક શિક્ષકએ વ્યક્તિ છે જે ડોક્ટર, એન્જીનીયર રાજકારણી બનાવી છે. શિક્ષકોને બાળકો રૂપિએ કોરો કાગળ કાગળ આપવામાં આવે છે, પરંતુ તેમાં શું લખવું અથવા શું લખવા માંગો છો ? તે કામ તમને મળ્યું છે. ત્યારે તે મોટી જવાબદારી છે,જેને સુંદર રીતે પૂર્ણ કરવી જોઈએ.