ગુજરાત

gujarat

રાજ્યમા તબલીઘીની જેમ સુંરવલી ગ્રુપના સભ્યો પકડાયા : DGP

રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. એક સમય માટે ગુજરાતમાં કેસની સંખ્યા ઘટી ગઈ હતી. તેવા સમયે તબલીગ જમાતના સભ્યો સામે આવતા તેમના દ્વારા ચેપ વધુ ફેલાવવામાં આવ્યો છે. ત્યારે હવે એક મુસીબત પૂરી નથી થઈ તેવા સમયે તબલીગી સમાજની જેમ હવે સૂરવલી ગ્રુપના સભ્ય પકડાયા છે. લોકોને મુશ્કેલી ન પડે તે માટે પોલીસ બંદોબસ્ત સાથે એન્ફોર્સમેન્ટ અને સર્ચની કામગીરી કરવામાં આવશે.

By

Published : Apr 9, 2020, 5:51 PM IST

Published : Apr 9, 2020, 5:51 PM IST

ETV Bharat / state

રાજ્યમા તબલીઘીની જેમ સુંરવલી ગ્રુપના સભ્યો પકડાયા : DGP

રાજ્યમા તબલિગી જેમ સુંરવલી ગ્રુપના સભ્યો પકડાયા : DGP
રાજ્યમા તબલિગી જેમ સુંરવલી ગ્રુપના સભ્યો પકડાયા : DGP

ગાંધીનગરઃ કોરોનાના સંક્રમણને અટકાવવા અમદાવાદ શહેરના અમુક વિસ્તારો બંધ કરવામાં આવ્યા છે અને લોકોનું થર્મલ સ્કેનિંગ પણ કરાઈ રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય તે હેતુથી શાકમાર્કેટ, જથ્થાબંધ માર્કેટના સ્થળો લોકોની સગવડ માટે બદલવામાં આવ્યા છે. નાગરિકો પણ તેમાં સહયોગ આપેએ જરૂરી છે. શહેરના ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં લોકોના આરોગ્યની ચકાસણી વધુ સઘન બનાવાશે. પોલીસ બંદોબસ્ત અપાયો છે અને જરૂર પડશે તો વધારવામાં આવશે. લૉકડાઉનના ચુસ્ત અમલમાં જો નાગરિકો સહયોગ નહીં આપે અને જો કાયદો હાથમાં લેશે તો પોલીસ બળપ્રયોગ કરતાં પણ ખચકાશે નહીં, આ માટે આગેવાનો ,શાંતિ સમિતિના સભ્યો,મોહલ્લા અને સોસાયટીના હોદ્દેદારો વગેરે ત્યાંના રહીશો સાથે ચર્ચા કરીને સહયોગ કરે તે જરૂરી છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું કે, સુરા ગ્રુપના સભ્ય પકડાયા છે અને તેમની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

રાજ્યમા તબલિગી જેમ સુંરવલી ગ્રુપના સભ્યો પકડાયા : DGP

રાજ્યના શહેરો- નગરોમાં ડ્રોન સર્વેલન્સની કામગીરી સઘન બનાવવામાં આવી છે. જેમાં 205 ડ્રોનના ફૂટેજ દ્વારા ગઈકાલે 471 ગુનાઓ નોંધાયા છે. બુધવાર સુધીમાં 2,565 ગુના દાખલ કરીને 6,151 લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા બુધવારે 92 ગુના નોંધીને 164 લોકોની અટકાયત કરતાં આજ સુધીમાં 399 ગુના નોંધી 792 લોકોની અટકાયત કરાઈ છે. એ જ રીતે સોશીયલ મીડીયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે અત્યાર સુધીમાં 142 ગુના દાખલ કરીને 258 આરોપીની અટકાયત કરી છે.

બેંક અને કરિયાણાની દુકાનના સ્થળે લોકો વધુ ભેગા થાય છે. જેથી સોશિયલ ડિસ્ટેન્સિંગ જળવાતું નથી એવા કિસ્સાઓ ધ્યાને આવ્યા છે. ત્યારે વ્યવસ્થાપકો અને સંસ્થાઓ જવાબદાર ગણાશે. આવા સ્થળોએ યોગ્ય અંતર જળવાય રહે તે માટે માર્કિંગ, કતાર કે ટોકન પધ્ધતિ અમલમાં મૂકવી જોઈએ. જો આવા સ્થળોએ નાગરિકો તરફથી આ પ્રક્રિયાનું પાલન કરવામાં ન આવતું હોય તો પોલીસને જાણ કરાશે તો પોલીસ ચોક્કસ મદદ કરશે.

મરકઝ,નિઝામુદ્દીનમાંથી આવેલા તબલગી વિશે કહ્યુ હતું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ -127 લોકોની ઓળખ કરાઈ છે. આ તમામ લોકોના કોરાનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે માંથી કુલ-11 લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આ સિવાયના તમામને હાલ કવૉરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ વિસ્તારના અન્ય લોકોના ટેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે જેથી કોરોના સંક્રમણ આગળ વધતું અટકાવી શકાય.

રાજ્યમાં લૉકડાઉન દરમિયાન જાહેરનામા ભંગના 2,788 ગુનાઓ, કવૉરન્ટાઈન ભંગના 872 તેમજ અન્ય ગુનાઓ 437 એમ મળી કુલ 4,097 ગુનાઓ નોંધાયા છે. જેમાં કુલ 6,169 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. જ્યારે 7,878 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details