જવાહર ચાવડા ચાવડાએ માણાવદર વિધાનસભા બેઠક પર રાજીનામું આપતા પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. જવાહર ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનું ખેસ ધારણ કર્યો હતો. જે બાદ તેમને પ્રધાન બનાવવામાં આવ્યા હતા. વલ્લભ ધારવિયાએ જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા.
વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસે 3 ઉમેદવારોના નામ જાહેર કર્યા
ન્યૂઝ ડેસ્ક: લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે, આવતી કાલે નામકંમનો છેલ્લો દિવસ હોવાથી રાજકિય પાર્ટીઓના ઉમેદવારો નામકંન ભરશે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે 3 ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી છે. જેમાં ધ્રાગધામાં દિનેશ પટેલ, જામનગર ગ્રામ્યમાં જંયતી સભાયા, માણાવદરમાં અરવિંદ લાડાણીને ટિકિટ આપી છે.
ફાઈલ ફોટો
જામનગર ગ્રામ્યમાંથી વલ્લભ ધારવિયા, માણાવદરમાંથી જવાહર ચાવડા અને ઉંઝામાંથી આશા પટેલ સિવાય ધ્રાંગધામાંથી પરસોત્તમ સાબરિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.