ગાંધીનગર મહાનગર ભાજપ દ્વારા સેક્ટર 16માં આવેલા ઓપન એર થિયેટર ખાતે મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી કલાકાર તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મહેસૂલ પ્રધાન અને જિલ્લાના પ્રધાન અને જિલ્લાના પ્રભારી કૌશિક પટેલ હાજર રહ્યા હતા.
ગાંધીનગરમાં ભાજપના સ્નેહમિલનમાં ચપ્પલ ઉતારવાની જગ્યા પર ભારતમાતાને બેસાડી દીધા
ગાંધીનગર: શહેર ભાજપ દ્વારા રવિવારે સેક્ટર 16માં આવેલા ઓપન એર થિયેટર ખાતે સ્નેહમિલન અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મહેસૂલ પ્રધાન અને ગાંધીનગરના પ્રભારી મંત્રી પણ હાજર રહ્યા હતા. વિજયના ઉન્માદમાં ભારત માતાના ફોટાને ચપ્પલ ઉતારવાની જગ્યા પર મુકી દીધા હતા.
ગાંધીનગરમાં સ્નેહમિલનમાં ભાજપના હોદ્દેદારો ભૂલ્યા ભાન,
મોડી રાત સુધી કાર્યક્રમ ચાલુ રહ્યો હતો. સ્ટેજ પર ભારત માતાના ફોટા સામે દીપ પ્રગટાવ્યા બાદ આ ફોટાને ભાજપના લોકોએ ચપ્પલ ઉપર મૂકી દીધો હતો. સામાન્ય રીતે આપણે દર્શન કરવા જઈએ, ત્યારે પણ ચંપલ મંદિરની બહાર મૂકીને દર્શન કરવા જતા હોઈએ છીએ. ત્યારે ભાજપના નેતાઓએતો મા ભારતીને પરમ વૈભવની જગ્યાએ ચપ્પલ ઉપર ગોઠવી દીધા હતા.