ડાંગ: વિશ્વભરમાં કોરોના વાઇરસની ભયાનકતાને લઇને સમગ્ર વિશ્વએ લોકડાઉનના પગલા લીધા છે. ભારત દેશમાં પણ આવા કપરા સમયે ગરીબ,મજૂર વર્ગ તેમજ જરૂરિયાતમંદ લોકો ભુખ્યા ન રહી જાય તે માટે સરકાર દ્વારા અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે ડાંગમાં દિવ્યાંગોને ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ડાંગમાં 1,170 દિવ્યાંગોને ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાએ અનાજની કીટનું વિતરણ કર્યુ
ડાંગમાં 1,170 દિવ્યાંગોને ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ડાંગ: 1,170 દિવ્યાંગોને ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાએ અનાજની કીટનું વિતરણ કર્યુ
ડાંગ જિલ્લા સેવાસદન આહવા ખાતે સુરતના પદ્મશ્રી ર્ડા.કનુભાઇ ટેલર,કલેકટર એન.કે.ડામોર,પ્રયોશા પ્રતિષ્ઠાનના પી.પી.સ્વામીજી,પો.સબ ઈન્સ્પેકટર જી.આર.જાડેજા દ્વારા બુધવારે દિવ્યાંગો માટેની કિટ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જેમાં શાળામાં રહેતા બાળકો તેમજ ભૂતપૂર્વક દિવ્યાંગોને પણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ડાંગની સાથે સાથે સૂરતમાં પણ દિવ્યાંગોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.