ગુજરાત

gujarat

By

Published : Nov 9, 2019, 3:29 PM IST

ETV Bharat / state

દાહોદમાં રેલવે કોલોનીમાં યુવકનો મૃતદેહ મળ્યો

દાહોદઃ શહેરના રેલવે કોલોનીમાં એક 32 વર્ષીય યુવકની વહેલી સવારે મૃતદેહ મળી આવતાં પંથકમા ખળભળાટ મચી ગયો છે. આ યુવકની હત્યા કરવામાં આવી છે કે તેણે આત્મહત્યા કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

રેલવે કોલોનીમાં ઝાલોદના યુવકની મૃતદેહ મળ્યો

ઝાલોદ તાલુકાના મુવાડા ગામે રાયણ ફળિયામાં રહેતા 32 વર્ષીય સુરેશભાઈ ભીમજીભાઈ ભાભોરની દાહોદ શહેરના બી કેબીન પાસે આવેલી રેલવે કોલોનીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ રેલ્વે પોલીસને થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો.

દાહોદમાં રેલવે કોલોનીમાં યુવકનો મૃતદેહ મળ્યો

મૃતદેહને નજીકની હોસ્પિલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. હાલ જ્યારે આ ઘટના સંદર્ભે નગરજનો તથા ઉપસ્થિત લોકોમાં અનેક તર્ક વિતર્કો વહેતા થયા હતા.લોકોમાં ચર્ચાના પ્રમાણે આ યુવકે ટાંકી પરથી કુદી આત્મહત્યા કરી હશે કે પછી તેની હત્યા કરી દેવામાં આવી હશે? જેવા અનેક પ્રશ્નો લોકમાનસમાં ઉદ્‌ભવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details