- બરોલી, કુકરદા અને નવગામ જિ.પં.માં ભાજપથી નારાજ કાર્યકરો
- નારાજ કાર્યકરોએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી
- નસવાડી તાલુકા પંચાયત ની 22 બેઠકો માટે 100 ફોર્મ ભરાયા
છોટાઉદેપુર :નસવાડી તાલુકાના નવગામ, કુકરદા, અને બરોલી બેઠક પર RRSના કાર્યકતા તેમજ ભાજપના પાયાના કાર્યકરોની ટિકિટ ના આપતા ભાજપમાં વિવાદ થયો છે. ત્રણ બેઠકો ઉપર અપક્ષ ઉમેદવાર તરીકે ભાજપના દિગજજ નેતા તરીકે ગણાતા દલસિંગ ડું. ભીલ અને કુકરદાના માજી સરપંચ અંબાલાલ અને તેઓની સાથે ભાજપના એક હજારથી વધુ કાર્યકરો રેલીના સ્વરૂપમાં આવીને નસવાડી તાલુકા સેવાસદન ખાતે અપક્ષ ઉમેદવારી કરી હતી. ત્રણે બેઠક ઉપર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો ઉપર ઉમેદવારી નોંધવતા ભાજપમાં હડકમ મચી જવા પામ્યો છે. નોંધનીય બાબત છે કે, ભાજપ દ્વારા ટિકિટ ફાળવણીમાં ગોથું ખાઈ જતા ભાજપને મોટું નુકસાન થવાની ભીતિ છે. ભાજપ પાસે નસવાડી તાલુકામાં શક્તિશાળી નેતા હોવાથી આ ડેમેજ કન્ટ્રોલ કરવું મુશ્કેલ છે. સમગ્ર પ્રકરણમાં ધારાસભ્ય પણ ગૂંચવાઈ ગયા છે. હાલ તો ભાજપ-કોંગ્રેસ બન્ને અપક્ષ ઉમેદવારી કરી છે. હવે જોવું એ રહેશે કે કોની જીત થશે ?
જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે 34 ફોર્મ ભરાયા