ગુજરાત

gujarat

By

Published : Jul 12, 2019, 4:39 PM IST

ETV Bharat / state

શિક્ષણનું સ્તર સુધારવા રાજ્ય સરકાર શિક્ષણના ત્રણ ભાગ કરેઃ કોંગ્રેસ

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે. શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય કામગીરી સોંપવામાં આવે છે. જ્યારે વાલીઓ અને વિધાર્થીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ આવતું નથી. જેની સીધી અસર બાળકોના શિક્ષણ પર પડે છે. ત્યારે શિક્ષણનું સ્તર સુધારવા માટે રાજ્ય સરકારે શિક્ષણ વિભાગને ત્રણ ભાગમાં કરવાનું સૂચન કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિજ મકવાણાએ આપ્યું હતું.

congress

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિજ મકવાણાએ ગૃહમાં સંબોધન કરતા જણાવ્યું કે, “હું એક વિધાર્થી, શિક્ષક, વાલી તરીકે રાજ્ય સરકારને સૂચન આપવા માંગુ છું. રાજ્યનું શિક્ષણ વિભાગનું ખુબ જ વિશાળ વિભાગ છે. જેથી તેનું સરળ રીતે સંચાલન કરવા માટે શિક્ષણ વિભાગમાં 3 ભાગ હોવા જોઈએ.”

  1. શિક્ષકોનું ટાઈમ મેનેજમેન્ટ અને હ્યુમન રિસોર્સ બનાવવમાં આવે. જેમાં 200 દિવસ શિક્ષણનું કામ થાય, યોગ્ય ટાઈમ ટેબલ બનવવામાં આવે, વર્ગખંડમાં શિક્ષકોને કામ કરવાનો મોકળાશ મળે.
  2. ફાયનાન્સ વ્યવસ્થા, વાલી મંડળ વ્યવસ્થા, શિક્ષકોના પ્રશ્નોના નિરાકાર સાથે અનેક રજુવાત કરવા માટેનો વિભાગ બનાવમાં આવે.
  3. ફક્ત અભ્યાસક્રમ ઉપર જ કામ કરે તેવો વિભાગ બનાવવામાં આવે.

જ્યારે મકવાણાએ સરકાર પર આક્ષેપ કર્યા હતા કે, શિક્ષણ વિભાગ જે કરે છે તેમાં શિક્ષણ વિભાગને વિશ્વાસ નથી. જ્યારે શિક્ષણ વિભાગ માટે ચિંતાનો વિષયએ છે કે, રાજ્યમાં ધોરણ 12 સુધી ભણતા 85 ટકા બાળકો શાળા છોડે છે. જેને રોકવા માટે સરકારે ઉદ્યોગ વિષયને મહત્વ આપવું પડશે. જેમાં શાળા કક્ષાએ કોઈ બાળક હુન્નર લઈને બહાર આવે એવું કાર્ય કરવું પડશે. આવું કરવાથી રાજ્યને અને બાળકને બંને આર્થિક રીતે ફાયદો થયો. શાળામાં ઉદ્યોગો વિષય તરીકે ભણાવવામાં આવે તો કોઈ બાળકમાં હુન્નર હશે તો જ્યારે માર્કેટમાં આવશે તો રાજ્યના અર્થતંત્રને ખૂબ ઉપયોગી બનશે.

ABOUT THE AUTHOR

...view details