ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, આ રણતિડથી બનાસકાંઠાના ખેડૂતોને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. રણતિડને નિયંત્રિત કરવા માટેની ટીમો પુરતા પ્રમાણમાં મૂકવામાં આવી નથી. જે વિસ્તારોમાં રણતિડ દ્વારા ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. તેનો સર્વે કરીને તમામ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
ગેનીબેનએ વધુમાં ઉમેર્યું હતું કે, નાયબ મુખ્યપ્રધાને ખેડૂતો માટે નર્મદામાં પાણી છોડવાની વાત કરી હતી. પરંતુ હજુ સુધી નર્મદાનું પાણી છોડવામાં આવ્યુ નથી. તો બીજી તરફ વરસાદ પણ થયો નથી. તેના ઉપર આ રણતીડનું આક્રમણે આ વિસ્તારના ખેડુતોને ચિંતામાં મૂકયા છે. મુશ્કેલીમાં મુકાઇ ગયેલા બનાસકાંઠાના ખેડૂતોનો સર્વે કરીને ખેડૂતોને વળતર આપવાની મારી માગણી સંદર્ભે વળતરની ખાતરી પણ કૃષિપ્રધાને વિધાનસભામાં આપી નથી. તેમણે કહ્યુ કે, આ ગંભીર બાબત છે. ખેતીને વધુ નુકસાન થશે. રણતિડને સમયસર નિયંત્રીત કરવામાં સરકાર ઉણી ઉતરશે તો તમામ જવાબદારી સરકારની રહેશે.