ગુજરાત

gujarat

By

Published : Nov 15, 2019, 5:05 AM IST

ETV Bharat / state

બોટાદમાં કોંગ્રેસની જન વેદના રેલી નીકળી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ જોડાયા

બોટાદ : જન વેદના આંદોલનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હાજર રહ્યા હતા.આંદોલન કાર્યક્રમમાં બોટાદ જિલ્લા તથા તાલુકાના હોદ્દેદારો આગેવાનો હાજર રહ્યા હતા.

etv bharat botad

બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જન વેદના આંદોલનનો કાર્યક્રમનું આયોજન કરાયું હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને ન્યાય આપવા માટે તેમજ ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે થયેલ નુકશાન અંગે વળતર મેળવવા માટે તેમજ પાક વીમો મેળવવા માટે અને બેરોજગાર યુવાનો છે તેને રોજગારી મળી રહે તેમજ વેપારીઓને ન્યાય મળી રહે તે માટે યોજવામાં આવ્યો હતો.

બોટાદમાં કોંગ્રેસની જન વેદના રેલી નીકળી

આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ અમીતભાઈ ચાવડા,ગઢડાના ધારાસભ્ય પ્રવિણભાઇ મારુ, ધંધૂકા મત વિસ્તારના ધારાસભ્ય રાજેશ ભાઈ ગોહિલ , ચોટીલાના ધારાસભ્ય તેમજ aiccના સભ્ય જીતેન્દ્ર બુધેલ હાજર રહ્યા હતા. તેઓએ જણાવેલ કે હાલની ભાજપ સરકાર તમામ કાર્યમાં નિષ્ફળ નીવડી છે. તેમજ તેઓને ખેડૂતો માટે સંવેદના નથી જ્યારે યુવાનો હાલમાં દિન-પ્રતિદિન બેરોજગાર થતા જાય છે. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તેમજ તાલુકા સમિતિના તમામ હોદ્દેદારો તથા નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ કોંગ્રેસના તમામ કાર્યકરોએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં બોટાદ શહેરના રાજમાર્ગો પર રેલી કાઢી હતી.

ABOUT THE AUTHOR

...view details