ગુજરાત

gujarat

By

Published : Jul 7, 2021, 2:40 PM IST

ETV Bharat / state

Rathyatra 2021: ભક્તિમાં ઇમ્યુનિટીની ઉણપ, રથયાત્રા નીકળશે કે કેમ !

ભાવનગરમાં 36મી રથયાત્રા (rathyatra )નું આયોજન કરવામાં આવ્યું છે, પણ સરકાર મંજૂરી આપે તો નગરયાત્રાએ ભગવાન નીકળશે. શહેરમાં લોકોમાં ભગવાનની ભક્તિની ઉણપ જોવા મળી છે. ત્યારે રથયાત્રા સમિતિએ કોરોનામાં અનેકના મૃત્યુ થયા હોવાથી શોકમાં પોસ્ટર, ધજાઓ કે પતાકા લગાવ્યા નથી, ત્યારે શહેરમાં સ્વયંભૂ લોકો પોતાના ઘરની બહાર કે દુકાન અલગ સ્થળો પર ધજા લગાવે તેવી અપીલ રથયાત્રા અધ્યક્ષ હરુભાઈ ગોંડલીયાએ કરી છે. જો કે, શહેરમાં માહોલ નહિ હોવાથી લોકોમાં ક્યાંક સ્વાસ્થ્યની સાથે કોરોનાએ ભક્તિની પણ ઇમ્યુનિટી ઘટાડી હોય તેમ લાગી રહ્યું છે.

Rathyatra 2021: ભક્તિમાં ઇમ્યુનિટીની ઉણપ, રથયાત્રા નીકળશે કે કેમ !
Rathyatra 2021: ભક્તિમાં ઇમ્યુનિટીની ઉણપ, રથયાત્રા નીકળશે કે કેમ !

  • કેસરિયો માહોલ ઉભો કરવા લોકોને ધજાઓ લગાવવા અપીલ કરતા રથયાત્રા સમિતિના અધ્યક્ષ
  • રીક્ષામાં ધજાઓ નથી તો પોસ્ટરો પણ નહીં હોવાથી લોકોમાં પ્રશ્ન શુ રથયાત્રા નીકળવાની છે કે નહીં ?
  • સાદગીથી રથ થોભ્યા વગર 7 કલાકમાં નગરયાત્રા પૂર્ણ કરશે સમિતિ
  • આ વર્ષે રથયાત્રા નીકળશે તો પ્રસાદી પણ રાખવામાં આવશે નહી.

ભાવનગરઃ શહેરમાં રથયાત્રા નિમિતે દરેક વિધી ભગવાનની કરવામાં આવે છે, પણ શહેરમાં રથયાત્રા નીકળશે કે કેમ તેને લઈને સવાલો ઉભા થયા છે. જો કે, શહેરમાં કેસરિયા જેવો માહોલ જોવા મળતો નથી. કેસરિયો માહોલ ઉભો કરવા માટે સ્વયંભૂ લોકોએ જાગવું પડશે. તે માટે રથયાત્રા સમિતિના અધ્યક્ષે પ્રજાને પણ અપીલ કરી છે.

લોકોના મનમાં પ્રશ્ન કે શું નગરયાત્રા જગન્નાથજીની નીકળશે ?

ભાવનગર શહેરમાં 36મી રથયાત્રા આગામી અષાઢી બીજના દિવસે 12 જુલાઈના રોજ નીકળશે તેવી આશા સેવાઇ રહી છે. કારણ કે જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા અત્યાર સુધીની ભગવાનની કરવાની દરેક વિધિ કરી લેવામાં આવી છે. જો કે, એક મહિના પહેલા શહેરમાં ઉભો થતો કેસરિયો માહોલ રથયાત્રાના આડે પાંચ દિવસ છે, છતાં શહેરના માર્ગો પર જોવા મળતો નથી. રસ્તા, થાંભલા અને રિક્ષામાં, કારમાં વગેરે સ્થળોએ ધજાઓ જોવા મળતી નથી. શહેરનો મુખ્ય ઘોઘાગેટ ચોકમાં લગાવવામાં આવતું ભગવાન કૃષ્ણનું 25 ફૂટનું પોસ્ટર પણ લગાવવામાં આવ્યું નથી. મુખ્ય બજારમાં માત્ર એક ધજા પ્રતીક સ્વરૂપે લગાવવામાં આવી છે, ત્યારે લોકોના મનમાં પણ સવાલ ઉભા થઇ રહ્યા છે કે, રથયાત્રા નીકળશે કે કેમ ? લોકો પાસે પૈસા પણ ન હોવાથી લોકોમાં ઉત્સાહ જોવા મળતો નથી તેમ એક નાગરિક જણાવી રહ્યા છે.

Rathyatra 2021: ભક્તિમાં ઇમ્યુનિટીની ઉણપ, રથયાત્રા નીકળશે કે કેમ !

આ પણ વાંચોઃ Rathyatra 2021: પાટણના જગદીશ મંદિર ખાતે ભગવાન જગન્નાથના નૌકાવિહાર મનોરથ યોજાયો

સ્વયંભૂ લોકો કેસરિયો માહોલ કરે તેવી અપીલ

ભાવનગર શહેરમાં એક પણ રોડ પર ધજાઓ જોવા મળતી નથી કે નથી જોવા મળતા પોસ્ટર. ત્યારે રથયાત્રાના અધ્યક્ષ હરુભાઈ ગોંડલીયા સાથે ETV BHARAT એ એક્સક્લુઝીવ વાતચીત કરતા જણાવ્યું હતું કે, રથયાત્રાને હાલમાં મંજૂરી મળી નથી, પણ સરકારમાંથી મંજૂરી મળશે તો સાદગી પૂર્વક રથયાત્રા કાઢીને ભગવાનને નગરયાત્રા કરાવવામાં આવશે. આ વર્ષે રથયાત્રા નીકળશે તો પ્રસાદી પણ રાખવામાં આવશે નહી. રથયાત્રા નીકળે ત્યારે રથમાં પ્રવેશ કરવા દેવામાં નહિ આવે તેમજ સ્વાગત કાર્યક્રમો કરવામાં નહીં આવે. રથયાત્રાને જે 14 કલાક થાય છે, તેના બદલે 7 કલાકમાં રથને ક્યાંય થોભ્યા વગર નગરયાત્રા ભગવાનની પૂર્ણ કરવામાં આવશે. કોરોનામાં લોકોના મૃત્યુ થયા છે તેથી શોકના પગલે કેસરિયો માહોલ ઉભો કરવામાં નથી આવ્યો, પણ લોકોને અપીલ કરીએ છે કે, કેસરિયો માહોલ સ્વયંભૂ પોતાના ઘર બહાર કે દુકાન બહાર ભગવાનને વધાવવા ધજા લગાવી ઉભો કરે છે.

આ પણ વાંચોઃ Rathyatra 2021: ડાકોર ખાતે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરાઈ

ત્રણ જેટલા મુખ્ય પીઢ કાર્યકર્તા કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે

રથયાત્રાનો માહોલ એક મહિના પહેલા બનાવવામાં આવતો હોય છે, પરંતુ આ વર્ષે રથયાત્રા નીકળવાની શક્યતા છે, ત્યારે માહોલ ઉભો થયો નથી. કોરોનામાં રથયાત્રા સમિતિના કાર્યકર્તાને પણ ગુમાવ્યા છે. હરુભાઈએ જણાવ્યું હતું કે, ત્રણ જેટલા મુખ્ય પીઢ કાર્યકર્તા કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે, તેવામાં હવે રથયાત્રા તો નીકળવાની નથી પણ લોકો સ્વયંભૂ ભગવાનને વધામણા કરવા કેસરિયો માહોલ ઉભો કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details