ભાવનગર: શહેરમાં કોરોનાનો આંક 5000ની નજીક પહોંચી રહ્યો છે. શહેરમાં તા. 7 ઓક્ટોમ્બરના રોજ 27 કેસો આવ્યા છે. ત્યારે જિલ્લાનો આંકડો 4411 પહોંચી ગયો છે. દિવસમાં ઓછામાં ઓછા 20 કેસો છેલ્લાં ઘણાં સમયથી આવી રહ્યા છે. ત્યારે હવે 30ને પણ આંકડો વટી ગયો છે. ત્યારે શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતા કેસોથી લોકોમાં ચિંતા અને ભય પણ જોવા મળી રહ્યો છે. તો શહેરમાં ઘટતા આંકડા પાછળ તંત્ર સામે લોકો ગોલમાલની શંકા વ્યક્ત કરી રહ્યા છે. જેમાં નામ જાહેર નહિ કરીને તંત્રએ લોકોની ચિંતા વધારી દીધી છે.
ભાવનગરમાં કોરોનાનો આંકડો 5 હજાર નજીક પહોંચતા લોકોમાં ભય
ભાવનગરમા કોરોનાનો આંકડો 5 હજાર નજીક પહોચવા આવ્યો છે. ત્યારે શહેરમાં કોરોનાના 7 ઓક્ટોબરે 27 કેસ નોંધાયા તેમજ 68 લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત 3979 જેટલા લોકો સ્વસ્થ થયા છે.
ભાવનગર શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન નોંધાયેલા છે. તેમજ આજદિન સુધી 4411 કેસો થઈ ચૂક્યા છે. ત્યારે ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા ત્રણ માસથી લઈને 92 વર્ષ સુધીના દર્દીઓને સ્વસ્થ કર્યા છે. ભાવનગરમાં આજદિન સુધીમાં 3979 દર્દીઓ સ્વસ્થ થયા છે, તો 68 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. સર.ટી.હોસ્પિટલ સહિત ખાનગીમાં આવેલા આઇસોલેશનમાં હાલમાં આશરે 357 જેટલા દર્દીઓ હજુ પણ સારવાર લઈ રહ્યા છે, તો સ્વસ્થ થવાનો આંકડો 3969 પર પહોંચી ગયો છે.
શહેરમાં કોરોનાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા માસ્ક ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે લોકોને અંતર રાખવા અને હાથ વારંવાર સાફ કરતા રહેવાની સલાહો આપવામાં આવી રહી છે. ભાવનગરમાં કેસોની સંખ્યા 20 થી 50 ની અંદર રહે છે, ત્યારે લોકોમાં તંત્ર દ્વારા આપવામાં આવતા આંકડાઓમાં ગોલમાલ રમાઇ રહી હોય તેવું લોકોનું લાગી રહ્યું છે.