ભાવનગર: શહેર અને જીલ્લામાં સરેરાશ 25 કેસ રોજના આવવા લાગ્યા છે અને આઇસોલેશન વોર્ડ ધીરે ધીરે ભરાઈ રહ્યો છે. ભાવનગર શહેરમાં અનલોક-2નો પ્રારંભ થયા બાદ કેસોની સંખ્યા વધી રહી છે. ભાવનગર શહેરમાં આંકડો 407 પર પહોંચી ગયો છે.
ભાવનગરમાં મુખ્ય બજાર દાણાપીઠ સહિત અનેક દુકાનોમાં સ્વયંભૂ લોકડાઉન
ભાવનગરમાં એક દિવસમાં 38 કેસ બાદ બીજા દિવસે 21 કેસ આવ્યા છે. કોરોના વધુ કેર ફેલાવે તે પહેલાં ભાવનગરના વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. મુખ્ય બજારમાં દાણાપીઠ સહિત કેટલીક ખાદ્ય ચીજવસ્તુઓની દુકાનો સવારે 9 થી 3 સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે અને અમલવારી પણ શરૂ કરી દેવાઈ છે.
ભાવનગરમાં મુખ્ય બજાર દાણાપીઠ સહિત અનેક દુકાનોમાં સ્વયંભૂ લોકડાઉન
શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતા કેસોથી લોકોમાં ચિંતા અને ભય જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા માસ્ક પહેરવાં બાબતે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે છતાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે