ગુજરાત

gujarat

By

Published : Jul 1, 2020, 8:11 PM IST

ETV Bharat / state

ભાવનગરમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 266 પર પહોંચ્યો

ભાવનગર શહેરમાં સતત્ત કોરોનાના કેસ વધી રહ્યા છે, રોજના ઓછામાં ઓછા પાંચ કેસ તો ક્યારેક 10 સુધી નવા કેસ નોંધાતા હોય છે. તંત્રની કડક કાર્યવાહી વચ્ચે વધી રહેલા સંક્રમણથી લોકોમાં પણ ચિંતા વધી રહી છે .ભાવનગરમાં હાલનો કોરોનાનો આંકડો 266 સુધી પહોંચી ગયો છે.

ભાવનગરમાં કોરોનાનો આંક 266 પર પહોંચ્યો
ભાવનગરમાં કોરોનાનો આંક 266 પર પહોંચ્યો

ભાવનગર: શહેરમાં કોરોનાના કેસો દિવસને દિવસે વધી રહ્યા છે. ભાવનગર શહેરમાં અનલોક 2 નો પ્રારંભ થઇ ગયો છે જે બાદ કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે. ભાવનગર શહેરમાં આંકડો 266 પહોંચી ગયો છે. કોરોનાના રોજ નવા પાંચ કેસ નોંધવામાં આવી રહ્યા છે.

શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતા કેસથી લોકોમાં ચિંતા અને ભય પણ જોવા મળી રહ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. બુધવારે પહેલી જુલાઈના દિવસે સાત કેસ બપોર સુધીમાં નોંધાઇ ચૂક્યા હતા.

ભાવનગર શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 11 કેસ નોંધાયેલા છે, જેથી કુલ સંખ્યા 266 થઇ ગઇ છે. ત્યારે ભાવનગરની હોસ્પિટલોમાં તબીબોની ટીમ દ્વારા ત્રણ માસથી લઈને 92 વર્ષ સુધીના દર્દીઓને સ્વસ્થ્ય કર્યા છે. ભાવનગરમાં આજદિન સુધીમાં 165 દર્દીઓ સ્વસ્થ્ય થયા છે, તો પંદર જેટલા દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. સર ટી હોસ્પિટલમાં આવેલા આઇસોલેશનમાં હાલમાં આશરે 86 જેટલા દર્દીઓ હજુ પણ સારવાર લઈ રહ્યા છે. ભાવનગરમાં કોરોનાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે સાથે લોકોને અંતર રાખવા અને હાથ વારંવાર સાફ કરતા રહેવાની સલાહો આપવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details