ગુજરાત

gujarat

By

Published : Jul 27, 2020, 9:38 PM IST

ETV Bharat / state

ભાવનગરમાં કોરોનાનો આંકડો 1200ને પાર, 788 સ્વસ્થ, 25ના મોત

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ભાવનગરમાં કોરોનાનો આંકડો 1200ને પાર થઇ છે. આ સાથે જ સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 788 થઈ ગઈ છે. જ્યારે 25 લોકોના મોત થયા છે.

ભાવનગરમાં કોરોનાનો આંકડો 1200ને પાર
ભાવનગરમાં કોરોનાનો આંકડો 1200ને પાર

ભાવનગર: શહેરમાં કોરોનાના 1200 કેસ થઇ ગયા છે. ભાવનગરમાં 27 જુલાઈ સુધી કેસો 30ની આસપાસ રોજના નોંધાઇ રહ્યા છે. 27 જુલાઈના રોજ 33 કેસો આવ્યા છે તંત્ર દ્વારા નામ જાહેર નહિ કરવાની રણનીતિથી લોકો મુંજવણમાં મુકાયા છે.

આઇસોલેશન વોર્ડ ધીરે ધીરે ભરાઈ રહ્યા છે, ભાવનગર શહેરમાં અનલોક-2નો પ્રારંભ થયા બાદ કેસની સંખ્યા વધી રહી છે. ભાવનગર શહેરમાં આંકડો 1237 પહોંચી ગયો છે. રોજના સરેરાશ 20 કેસ ઘણા સમયથી નોંધાઈ રહ્યા છે. તે હવે 30 સુધા પહોંચી ગયા છે.

શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતા કેસોથી લોકોમાં ચિંતા અને ભય પણ જોવા મળી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. 25 જુલાઈના દિવસે 41 કેસ સાંજ સુધીમાં નોંધાઇ ચુક્યા હતા. શહેરમાં ઘટતા આંકડા પાછળ તંત્ર સામે લોકો ગોલમાલની શંકા વ્યક્ત કરી રહ્યા છે.


સૌથી અચંબાની વાત એ છે કે આંકડો સ્થિર થયો છે, કેસ શહેર જિલ્લામાં સીમિત થઈ ગયા છે. કેસ અચાનક ઓછા આવવવાથી લોકોમાં ગુસ્સો છે કે આંકડા હવે છુપાવાઈ રહ્યા છે. જો કે તંત્રએ અચાનક ટ્રાવેલ હિસ્ટ્રી અને નામો જાહેર કરવાનું બંધ કરવા પાછળનું કારણ દર્શાવ્યું નથી. આંકડો 1200 ને વટાવી 1237 પર ગયો છે. સ્વસ્થ્ય થવાના કેસો વધી રહ્યા છે મતલબ સાફ છે કે અંદર ખાને ચાલતી ક્યાંક ગોલમાલ જરૂર છે. અગાવ 26 આવેલા કેસોમાં પણ સ્પષ્ટતા તંત્રએ કરી નથી કોઈ હિસાબ આપવામાં નહિ આવ્યો.

ભાવનગર શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન નોંધાયેલા છે, કેસો 1237 સુધી થઈ ચૂક્યા છે. ત્યારે ભાવનગર સર ટી હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા ત્રણ માસથી લઈને 92 વર્ષ સુધીના દર્દીઓને સ્વસ્થ્ય કર્યા છે. ભાવનગરમાં આજદિન સુધીમાં 788 દર્દીઓ સ્વસ્થ્ય થયા છે, તો 25 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. સર ટી હોસ્પિટલ સહિત ખાનગીમાં આવેલા આઇસોલેશનમાં હાલમાં આશરે 417 જેટલા દર્દીઓ હજુ પણ સારવાર લઈ રહ્યા છે, તો સ્વસ્થ્ય થવાનો આંકડો 788 પર પહોંચી ગયો છે.

ભાવનગરમાં કોરોનાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે.તો સાથે લોકોને અંતર રાખવા અને હાથ વારંવાર સાફ કરતા રહેવાની સલાહો આપવામાં આવી રહી છે. ભાવનગરમાં રોજના 20 થી 25 કેસો આવી રહ્યા હતા હવે તે ધીરે ધીરે 15 પર પહોંચી ગયા છે. જેથી કુલ કેસ 40 ની અંદર રહે છે ત્યારે લોકોમાં ચિંતા વધી રહી છે .

ABOUT THE AUTHOR

...view details