ભાવનગર:મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation) હેઠળ આવતી શિક્ષણ સમિતિની શાળાઓમાં જ મહાનગરપાલિકા સફાઇ કરાવામાં અસમર્થ રહી છે. મહાનગરપાલિકાની શાળામાં શિક્ષકોને કચરો (Bhavnagar Garbage problem) પડ્યો રહેવા દેવો પડે છે અથવા ફોન મારફત ટેમ્પલ બેલ બોલાવી વ્યવસ્થા કરવી પડે છે. શાળાઓની હાલત "ઘરના ઘંટી ચાટેને પાડોશીને આંટો" જેવી બની ગઈ છે. જો કે હાલ શાળાઓમાં વિદ્યાર્થી નથી પણ કેટલાક દ્રશ્યો અમારી પાસે બાળકોની હાજરીમાં કચરાના ઢગલાના છે. જોઈએ શું છે સ્થિતિ?
શાળાઓમાં મહાનગરપાલિકાની બેદરકારી
ભાવનગરમાં મહાનગરપાલિકાની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ આવેલી છે. શિક્ષણ સમિતિમાં કુલ 55 શાળાઓ છે. જેમાં 47 બિલ્ડીંગો આવેલી છે. આ 47 બિલ્ડીંગોની શાળાઓમાં મોટાભાગે કચરાના નિકાલની વ્યવસ્થા કરાય નથી. મહાનગરપાલિકા લોકોને ઘરે ઘરે કચરો ઉઠાવવાની સેવા પ્રદાન કરે છે, પરંતુ પોતાની શાળામાં કચરાના નિકાલ માટે શિક્ષકોએ ટેમ્પલ બેલ કે ટ્રેકટર ચાલકોને ફોન કરીને બોલાવવા પડે છે. શાળાઓમાં બે દિવસ પાંચ દિવસ નક્કી નથી હોતું કે કેટલા દિવસનો કચરો એકઠો થશે. કચરાની કઠણાઈ એવી છે કે શિક્ષકો ત્રાહિમામ પોકારી ગયાં છે. આવા સંજોગોમાં પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષ ધાંધલા કહે છે કે, આ મોટી સમસ્યા છે શિક્ષકો કચરાના ઢગલામાં રહે છે અથવા તેના નિકાલ કરવાની વ્યવસ્થામાં જ રહે છે.
સરકાર આપે છે સફાઇ કામદારને ગ્રાંન્ટ