ગુજરાત

gujarat

By

Published : Jan 20, 2020, 6:35 PM IST

ETV Bharat / state

ભરૂચમાં શ્યામવિલા કોમ્પ્લેક્ષમાં વીજ મીટરોમાં આગ, કોઇ જાનહાની નહીં

ભરૂચઃ શ્રવણ ચોકડી નજીક આવેલા શ્યામવિલા કોમ્પ્લેક્ષમાં વીજ મીટરોમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. શોર્ટ સર્કીટનાં કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવીમાં આવી રહ્યું છે. જેમાં કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી.

etv
ભરૂચઃ શ્યામવિલા કોમ્પ્લેક્ષમાં વીજ મીટરોમાં આગ ફાટી નીકળતા દોડધામ

ભરૂચની શ્રવણ ચોકડી નજીક આવેલા શ્યામવિલા કોમ્પ્લેક્ષમાં વીજ મીટરોમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઇ હતી. ભરૂચની શ્રવણ ચોકડી નજીક આવેલા શ્યામ વિલા કોમ્પ્લેક્ષમાં સવારના સમયે બેઝમેન્ટમાં મુકવામાં આવેલા વીજ મીટરોમાં આગ ફાટી નીકળી હતી, જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે કોમ્પ્લેક્ષનાં લોકો નીચે દોડી આવ્યા હતા.

ભરૂચઃ શ્યામવિલા કોમ્પ્લેક્ષમાં વીજ મીટરોમાં આગ ફાટી નીકળતા દોડધામ

બનાવની જાણ થતા જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાયટરો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી જો કે, આગના પગલે વીજ પુરવઠો ખોરવાયો હતો અને વીજ કંપનીના કર્મચારીઓએ આવી સમારકામ શરુ કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details