ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરુચ ક્રાઈમ બ્રાન્ચે છેતરપિંડીનો કારસો રચનાર ટોળકીની કરી ધરપકડ

ભરુચઃ ક્રાઈમ બ્રાન્ચે લોકોને સસ્તા ભાવે ઘર વપરાશની વસ્તુ વેચનાર, લાલચ આપી છેતરપીંડીનો કારસો રચનાર ટોળકીના 7 સાગરીતોની ધરપકડ કરી હતી. લોકોને સસ્તા ભાવે વસ્તુ આપવાની લાલચ આપી 1 હજાર લોકો પાસે રૂપિયા 30 લાખ ઉઘરાવી ફુલેકુ ફેરવવાનો પ્લાન હતો. આરોપીઓએ આસામમાં પણ લોકો સાથે 10 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.

By

Published : Oct 5, 2019, 6:48 AM IST

ભરુચ ક્રાઈમ બ્રાન્ચે છેતરપિંડીનો કારસો રચનાર ટોળકીની કરી ધરપકડ

સસ્તા ભવે ઘરેલું ચીજવસ્તુઓ આપવાનું પ્રલોભન લોકો સાથે છેતરપીંડી કરતી આંતરરાજ્ય ગેંગને ભરૂચ SOG પોલીસે ઝડપી પાડી હતી. અંકલેશ્વરના ગડખોલ પાટિયા ખાતે તુલસી હોમ નીડ્સ નામની દુકાનમાં ઘર વપરાશની ચીજવસ્તુઓનું સસ્તા ભાવે વેંચાણ કરવામાં આવતું હતું અને 45 થી 50 ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું. જેમાં પોલીસને શંકા ગઈ હતી અને આ દુકાનના કેટલાક ઇસમોને SOG ઓફિસ ખાતે બોલાવી ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી. જેમાં આ ઈસમો ભાંગી પડ્યા હતા અને કબુલાત કરી હતી કે અંકલેશ્વર ખાતે ૩૦ લાખથી વધુ એડવાન્સ નાણાનું બુકિંગ કરેલ છે અને આ નાણા પચાવી પાડી નાસી છૂટવાની પેરવી કરી રહ્યા હતાં. આ ઉપરાંત આ ટોળકીએ પાંચ મહિના અગાઉ આસામ ખાતે પણ આ જ રીતે સ્કીમ ચાલુ કરી રૂપિયા 10 લાખ ઉપરાંતની છેતરપિંડી કરી હતી. પોલીસે તમીલનાડુના રહેવાસી ગણેશ સુંન્દરમ, સન્મુખ નટરાજ, વિજય સૌવરીરાજ, દેવાનાર મુની સ્વામી, અમ્લાદાસ સેવ્લારાજ, મુથુ ધર્માલીન્ગમ અને યુસુફ સાહિલ હમીદને ઝડપી પાડ્યા હતાં.

ભરુચ ક્રાઈમ બ્રાન્ચે છેતરપિંડીનો કારસો રચનાર ટોળકીની કરી ધરપકડ

આ ટોળકીના સાગરીતો દરેક સ્થળે થોડા દિવસો સુધી મોટી મોટી લોભામણી જાહેરાતો કરી ગ્રાહકોને આકર્ષે અને ત્યાર બાદ એડવાન્સ બુકિંગ કરાવી રાતો રાત ગાયબ થઇ જતા હતાં. અંકલેશ્વરના હજારો ગ્રાહકો પાસેથી આ ટોળકીએ 30 લાખ રુપિયા પડાવી લીધા હતાં, ત્યારે હાલ આ તમામ વિરુદ્ધ આસામમાં નોંધાયેલ ગુનાનો પણ ભેદ ઉકેલવામાં ભરૂચ પોલીસને સફળતા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details