ગુજરાત

gujarat

ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના કેસ અંગેની સચોટ માહિતી

By

Published : Jun 19, 2020, 7:09 PM IST

Updated : Jun 19, 2020, 7:29 PM IST

ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના કેસ બાબતે સચોટ માહિતી આપવામાં આવી છે. લોકડાઉન 1થી 4માં જિલ્લામાં કોરોના વાઇરસના 38 પોઝિટિવ કેસ તો અનલોક-1માં કોરોના વાઇરસના 79 પોઝિટિવ કેસ નોંધાયા છે.

કોરોના વાઇરસના કેસ બાબતનું સચોટ વિશ્લેષણ
કોરોના વાઇરસના કેસ બાબતનું સચોટ વિશ્લેષણ

ભરૂચઃ કોરોના વાઇરસ હવે સમગ્ર દેશ સાથે ભરૂચ જિલ્લામાં પણ કોહરામ મચાવી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં પણ કોરોના વાઇરસ સુપર સ્પ્રેડર બની રહ્યો છે, ત્યારે ઈટીવી ભારત દ્વારા લોકડાઉન અને અનલોકમાં કોરોનાના કેસ બાબતે નિરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં ચોકાવનારી હકીકત બહાર આવી છે. કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા અપાયેલ ચાર તબક્કાના લોકડાઉન અને અનલોક-1ના પ્રથમ 19 દિવસમાં કોરોના કેસ પર નજરી કરીએ તો...

કોરોના વાઇરસના કેસ અંગેની સચોટ માહિતી
આમ ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કુલ 177 પોઝિટિવ કેસ નોંધાયા છે. લોકડાઉન 1થી 4માં જિલ્લામાં કોરોના વાઇરસના 38 પોઝિટિવ કેસ નોંધાયા હતા. તો અનલોક 1માં કોરોના વાઇરસના 79 પોઝિટિવ કેસ નોધાયા છે. બીજી તરફ લોકડાઉનના 37 દિવસમાં 38 કેસ તો અનલોકના 19 દિવસમાં 79 કેસ નોધાયા છે. નિરીક્ષણ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે, લોકડાઉનના દિવસોમાં ભરૂચ જિલ્લામાં એક દિવસમાં કોરોના વાઇરસનો સરેરાશ 1 કેસ નોંધાતો હતો. તો અનલોકના દિવસોમાં એક દિવસમાં સરેરાશ 4 પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. જે ભરૂચ માટે ચિંતાજનક બાબત કહી શકાય છે.
ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના કેસ અંગેની સચોટ માહિતી
Last Updated : Jun 19, 2020, 7:29 PM IST

ABOUT THE AUTHOR

...view details