ગુજરાત

gujarat

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોના માલનો ઘટાડો થતા માર્કેટયાર્ડમાં નુકસાન

By

Published : Jan 10, 2021, 3:22 PM IST

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાની એપીએમસી પર સ્પષ્ટ અસર જોઈ શકાય છે. સરકારના નવા કાયદાને કારણે એપીએમસીની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, તેના કારણે ભવિષ્યમાં એપીએમસીને તાળા લાગે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અત્યારથી થવા લાગ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોના માલનો ઘટાડો થતા માર્કેટયાર્ડમાં નુકસાન
બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોના માલનો ઘટાડો થતા માર્કેટયાર્ડમાં નુકસાન

  • બનાસકાંઠા જિલ્લામાં કૃષિ બિલને લઇને માર્કેટયાર્ડોમાં નુકસાન
  • ડીસા એ.પી.એમ.સી માર્કેટ યાર્ડમાં શેષની આવકમાં ઘટાડો
  • શેષની આવકમાં ઘટાડો થતા માર્કેટ યાર્ડ બંધ થવાના આરે

બનાસકાંઠાઃ જિલ્લો એ વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો જિલ્લો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લામાં ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં વધુને વધુ ઉત્પાદન મેળવતા બનાસકાંઠા જિલ્લામાં દરેક તાલુકાઓને જોડતા માર્કેટયાર્ડ શરૂ કરવામાં આવ્યાં હતા, જેના કારણે જિલ્લાના ખેડૂતો પોતાના ખેતરમાંથી પાક સીધો માર્કેટ યાર્ડમાં વેચી આવક મેળવતા હતા. પરંતુ હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ બિલને લગતા નવા કાયદા અમલમાં મૂકવામાં આવ્યાં છે, જેનો વિરોધ સમગ્ર ભારતમાં ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ નવા કાયદાની અસર જિલ્લાના માર્કેટ યાર્ડ ઉપર જોવા મળી રહી છે. ખેડૂતોએ માર્કેટયાર્ડમાં પોતાનો માલ વેચવાનું બંધ કરતા હાલમાં માર્કેટ યાર્ડને મોટું નુકસાન થવા જઈ રહ્યું છે.

ડીસા માર્કેટયાર્ડ

ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતોની સંખ્યામાં ઘટાડો

કેન્દ્ર સરકારના વટહુકમ બાદ દેશમાં નવા ત્રણ કૃષિ કાયદા અમલમાં આવ્યાં છે. જે પૈકીનો એક કાયદો એપીએમસીને લાગુ પડતો હતો. સરકારે આપેલા નવા કાયદાથી કોઇપણ વેપારી માર્કેટની પરવાનગી વિના અને કોઈ પણ પ્રકારની ફી ચૂકવ્યાં વિના ખેડૂત પાસેથી સીધો માલ ખરીદી શકશે. જેની અસર અત્યારથી જ માર્કેટયાર્ડ પર થવા લાગી છે બનાસકાંઠા ખેતી આધારિત જિલ્લો છે, અહીં તમામ તાલુકામાં એપીએમસીથી કાર્યરત છે. મુખ્ય એપીએમસીની વાત કરવામાં આવે તો ડીસામાં એપીએમસીમાં નવા કાયદાના અમલ બાદ જ માર્કેટયાર્ડની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ડીસા માર્કેટયાર્ડ

શેષની આવક માર્કેટયાર્ડની મુખ્ય આવક

માર્કેટયાર્ડનું માળખું શેષની આવક પર નિર્ભર હોય છે. શેષની આવક માર્કેટયાર્ડની મુખ્ય આવક છે, પરંતુ હવે જ્યારે વેપારીઓ સીધા ખેડૂતોના ખેતરથી માલ ખરીદે છે, ત્યારે એપીએમસીની આવક બંધ થઈ ગઈ છે. એપીએમસીની શેષની આવક બંધ થાય તો એપીએમસી પાસે બીજો કોઈ આવકનો સ્ત્રોત રહેતો નથી, જેના કારણે એપીએમસીને ચલાવવી આગામી સમયમાં કપરી છે.

અમરત જોશી

ડીસા એ.પી.એમ.સી માર્કેટ યાર્ડમાં શેષની આવકમાં ઘટાડો

કેન્દ્ર સરકારના કૃષિ વિષયકનો વટહુકમ તારીખ 6 -5 -2020 અમલમાં આવ્યો છે, જે બાદ એપીએમસી આવકમાં નોંધપાત્ર ઘટાડો જોઈ શકાય છે. ઉત્તર ગુજરાતમાં સૌથી મોટા માર્કેટયાર્ડ પૈકી બે માર્કેટયાર્ડ ડીસામાં શેષની આવકમાં મોટો ઘટાડો સ્પષ્ટ જોઈ શકાય છે. જે તેની આવક માર્કેટ યાર્ડના સંચાલન માટે અગત્યની હતી, પરંતુ હવે જ્યારે શેષની આવક બંધ થઈ ગઈ છે ત્યારે માર્કેટ યાર્ડના સંચાલકો માર્કેટ યાર્ડનું સંચાલન કેમ ચલાવવું તેને લઈને મૂંઝવણમાં મુકાયા છે જેથી આવક બંધ થઇ જતાં એપીએમસીનું સંચાલન કરતા સેક્રેટરી પણ ખર્ચ કઈ રીતે નીકાળવો તેને લઈને ચિંતામાં છે.

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોના માલનો ઘટાડો થતા માર્કેટયાર્ડમાં નુકસાન

ABOUT THE AUTHOR

...view details