ગુજરાત

gujarat

By

Published : Jun 6, 2021, 10:09 AM IST

ETV Bharat / state

અંબાજીમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા કોરોના ટેસ્ટ કરવાની ઝુંબેશ હાથ ધરાઈ

લોકઉપયોગી અભિયાનમાં સામાજીક સંસ્થાઓ પણ જોડાઇ રહી છે. ત્યારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા કોરોનાનું પ્રમાણ ન વધે તે માટે કોરોના ટેસ્ટ કરવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી.

Banaskantha
Banaskantha

  • સરકાર ગામ કોરોના મુક્ત બને ને લોકો સલામત રહે તેવાં પ્રયાસ કરી રહી છે.
  • લોકઉપયોગી અભિયાનમાં સામાજીક સંસ્થાઓ પણ જોડાઇ
  • ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા કોરોનાનું પ્રમાણ ન વધે તે માટે કોરોના ટેસ્ટ કરવાની ઝુંબેશ હાથ ધરાઈ
  • માનસરોવર અને ભાટવાસ વિસ્તારમાં RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા

અંબાજી: લોકઉપયોગી અભિયાનમાં સામાજીક સંસ્થાઓ પણ જોડાઇ રહી છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાંતા તાલુકા બ્રાન્ચ દ્વારા કોરોનાનું પ્રમાણ ન વધે તે માટે RT-PCR ટેસ્ટ કરવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી છે. યાત્રાધામ અંબાજીના ફળીયા કોરોના મુક્ત બને તે માટે આરોગ્ય વિભાગની સાથે મળીને કોરોનાના ટેસ્ટ કરાવી રહ્યુ છે.

અંબાજીમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા કોરોના ટેસ્ટ કરવાની ઝુંબેશ હાથ ધરાઈ

આ પણ વાંચો: અંબાજીમાં ડોર ટૂ ડોર કોરોના ટેસ્ટિંગ માટે અભિયાન શરૂ કરાયું

42 જેટલાં સ્ત્રી-પુરુષોના ટેસ્ટીંગની કામગીરી કરાઇ

અંબાજીના માનસરોવર અને ભાટવાસ વિસ્તારમાં RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 42 જેટલાં સ્ત્રી-પુરુષોના ટેસ્ટીંગની કામગીરી કરાઇ હતી. જે લોકો ટેસ્ટ કરાવવાનાં નામથી ડરતા હતા તેવા લોકોના પણ ટેસ્ટીંગની કામગીરી કરાઇ હતી ને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટેનાં પ્રયાસો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને આરોગ્ય ખાતાનાં સંયુક્ત પણે હાથ ધરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:સુરત ટેક્સટાઈલ માર્કેટમાં કોરોના ટેસ્ટિંગમાં વધારો

ABOUT THE AUTHOR

...view details