ગુજરાત

gujarat

By

Published : Apr 8, 2019, 6:33 PM IST

ETV Bharat / state

બનાસકાંઠામાં ભાજપે ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ

બનાસકાંઠા: શહેરમાં આજે ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરાયા છે. અમીરગઢ જેવા અંતરિયાળ વિસ્તારોમાં લોકોને ભાજપને જીતાડવા હાકલ કરાઈ છે.

બનાસકાંઠામાં ભાજપે ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ

બનાસકાંઠામાં આજથી ભાજપ ઉમેદવાર પરબત પટેલ દ્વારા લોક સંપર્ક કાર્યક્રમ શરૂ કરાયો છે. જેમાં આજે બનાસકાંઠાના આદિવાસી વિસ્તાર એવા અમીરગઢ, ઇકબાલગઢ, અને દાંતા સહિતના વિસ્તારોમાં લોક સંપર્ક કાર્યક્રમો કરી લોકોને સરકારની સિદ્ધિઓ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે.

બનાસકાંઠામાં ભાજપે ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ

ભાજપે પાંચ વર્ષ દરમિયાન મેળવેલી સિદ્ધિઓ, યોજનાઓ અને ગરીબો લક્ષી જે કામો કર્યા છે. તે લોકો સમક્ષ વર્ણવી ભાજપના ઉમેદવાર પરબત પટેલ લોકોને બે હાથ જોડી ભાજપ અને નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવવા માટે જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે અને તેઓ જીતશે તેમ આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details