- લવ જીહાદ પ્રકરણમાં આરોપીના 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર
- યુવક-યુવતીએ ઘરેથી ભાગી કર્યા હતા લગ્ન
- આરોપી યુવક સામે ખોટાં લગ્ન દસ્તાવેજ બનાવવા સંબંધી 7 જેટલી કલમો લગાવાઈ
- કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતાં આરોપીને પોલીસ રિમાન્ડ પર ખસેડાયો
બનાસકાંઠાઃ જિલ્લાના પાલનપુર ખાતેથી લવ જીહાદનો કિસ્સો પ્રકાશમાં આવતાં હિન્દૂ સંગઠનો દ્વારા હવે લવ જીહાદ અંગે કાનૂન બનાવવાની માંગ પ્રબળ બનવા લાગી છે. પાલનપુર વાહન વ્યવહાર કચેરીમાં આર.ટી.ઓ.ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવી ચૂકેલો નિશાર જીતુખાન ઘાસુરા નામનો યુવક મૂળ ધાણધા ગામનો વતની છે. જે હાલમાં સુરત આર.ટી.ઓ.કચેરીમાં ફરજ બજાવતો હતો. પરંતુ તે છેલ્લાં કેટલાંય સમયથી પાલનપુરમાં રહેતી અન્ય ધર્મની યુવતી સાથે પ્રેમ કરતો હતો. તેથી 20 દિવસ પહેલાં બન્ને યુવક-યુવતીએ ઘરેથી ભાગી આબુરોડ ખાતે હિન્દૂ વિધિ મુજબ લગ્ન કર્યા હતા. જેની આબુરોડ ખાતે લગ્ન નોંધણી પણ કરાવી હતી. આ બાબતે બનાસકાંઠા હિન્દૂ સંગઠનોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને 15 તારીખ સુધીનું અલ્ટીમેંટમ આપ્યું હતું. જે સંર્દભે પોલીસે બે દિવસ અગાઉ બન્નેને ઝડપી લીધા હતા.
કુલ 5 વ્યક્તિઓ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી