ગુજરાત

gujarat

ETV Bharat / state

આશ્રય મેળવી રહેલા શ્રમિકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં લોકોએ શેલ્ટર હોમ પર પથ્થરમારો કર્યો

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં હિજરત કરી રહેલા એક શ્રમિકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આસ-પાસના રહીશોમાં ભયની લાગણી ફેલાઈ છે. જેનાથી કેટલાક લોકોએ ઉશ્કેરાઈ જઈને શેલ્ટર હોમ પર પથ્થમારો કર્યો હતો.

By

Published : Apr 20, 2020, 4:10 PM IST

આશ્રય મેળવી રહેલા શ્રમીકને કોરોના થતા લોકોએ શેલ્ટર હોમ પર કર્યા પથ્થરમારો
આશ્રય મેળવી રહેલા શ્રમીકને કોરોના થતા લોકોએ શેલ્ટર હોમ પર કર્યા પથ્થરમારો

અરવલ્લીઃ જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં લોકડાઉન પછી હિજરત કરી રહેલા પરપ્રાંતિય શ્રમિકોને આશરો આપવા માટે બે શેલ્ટર હોમ સ્થાપવામાં આવ્યા છે. જેમાં સર્વોદય નગર ખાતેના સ્પોર્ટસ સેન્ટરમાં સ્થાપવામાં આવેલા શેલ્ટર હોમમાં, એક શ્રમિકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આસપાસના રહીશોમાં ભયની લાગણી ફેલાઈ છે. જેમાંથી કેટલાક લોકોએ ઉશકેરાઇ શેલ્ટર હોમ પર પથ્થમારો કર્યો હતો.

શેલ્ટર હોમની આસપાસ લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ, આ સ્થળેથી લોકોને દૂર કરવાની માગ કરી હતી. જો કે, મામલાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવી હતી અને ટોળાને વિખર્યુ હતુ, ત્યારબાદ પોલીસે મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details