ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં એક જ દિવસમાં નવા 25 કેસ કોરોનાના પોઝિટિવ નોંધાયા

કોરોનાની મહામારીમાં અરવલ્લીમાં બુધવારની મોડી સાંજે 300 સેમ્પલના રિપોર્ટ આવ્યા જેમાંથી 25 કેસના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રની સાથે વહિવટી તંત્રમાં પણ હડકંપ મચી ગયો હતો.

By

Published : May 7, 2020, 12:47 PM IST

અરવલ્લીમાં એક જ દિવસમાં 25 કેસ કોરોનાના પોઝિટિવ નોંધાયા
અરવલ્લીમાં એક જ દિવસમાં 25 કેસ કોરોનાના પોઝિટિવ નોંધાયા

અરવલ્લીઃ જિલ્લામાં બુધવારની મોડી સાંજે 300 સેમ્પલના રિપોર્ટ આવ્યા જેમાંથી 25 કેસના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રની સાથે વહીવટી તંત્રમાં પણ હડકંપ મચી ગયો હતો. એક સાથે 25 કેસ પોઝિટિવ આવતા સમગ્ર જિલ્લામાં ભય છવાઇ ગયો છે. આ સાથે જ અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીના કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 47 પર પહોંચ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ જિલ્લાના મોડાસામાં પાંચ, શિલાદ્રી, શોભાયડામાં ત્રણ, ટીંટોઈ, બ્રહ્મપુરી, અમલાઈમાં ત્રણ, લિંભોઈ, મેઘરજ, સુરપુર, જનાલી ટાંડામાં ત્રણ, કરણપુર, સુનોખ, શામપુર, ખડોદા અને જાબચીતરીયામાં કેસ નોંધાયા છે.

આ તમામ વિસ્તારોના 5 કિમી ત્રિજ્યામાં આવેલા વિસ્તારને બફરઝોન વિસ્તાર COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલા છે. જયારે 5 કિ.મી વિસ્તારને બફર ઝોન જાહેર કરેલા છે.

જેમાં આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ, વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત ફરજો સહિતની આવશ્યક સેવાઓ અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવાન-જાવનની પ્રવૃતિઓ પર જરૂરી નિયંત્રણો મૂક્યા છે. જો કે, મેઘરજ નગરની એક સોસાયટીમાં પણ એક પોઝિટિવ દર્દી કેસની ખબર પડતાં જ ફરાર થઇ ગયો છે. આરોગ્ય વિભાગ અને પોલીસે આખી રાત કરી દોડધામ કરી પરંતુ દર્દી હાથ લાગ્યો નથી.

નોંધનીય છે કે, અરવલ્લી જિલ્લામાં લોકડાઉન-1માં એક પણ કેસ નહોતો જ્યારે લોકડાઉન-2માં 22 કેસ અને હવે લોકડાઉન-3માં વધુ 25 કેસ નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details