ગુજરાત

gujarat

By

Published : Jun 11, 2022, 10:58 PM IST

ETV Bharat / state

કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ આજે આણંદની મુલાકાતે, 41માં પદવીદાન સમારંભમાં આપશે હાજરી

આણંદમાં આવતીકાલે ગૃહ પ્રધાન અમિત શાહ પધારી(Union Home Minister Anand Visit) રહ્યા છે. તેઓ 12મી જૂને સવારે કૃષિ યુનિવર્સીટીના હેલિપેડ ગ્રાઉન્ડમાં(Helipad Ground of Agricultural University) હેકલીકોપ્ટરથી લેન્ડ થશે. એ બાદ તેઓ ઈરમા યુનિવર્સીટીની મુલાકાતે છે.

આવતીકાલે ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટના પદવીદાન સમારોહમાં હાજર રહેશે ગૃહ પ્રધાન
આવતીકાલે ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટના પદવીદાન સમારોહમાં હાજર રહેશે ગૃહ પ્રધાન

આણંદ:ઇન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ(Institute of Rural Management) સંસ્થાના 41માં પદવીદાન સમારંભમાં દેશના ગૃહ પ્રધાન અને પ્રથમ સહકારિતા પ્રધાન અમિત શાહ હાજરી આપશે. રવિવારે 12 જૂનના રોજ આણંદમાં સંસ્થાના કેમ્પસમાં યોજાનાર આ કાર્યક્રમમાં ગૃહ પ્રધાન અમિત શાહના હાથે સંસ્થાના અંદાજિત 250 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત(Degrees awarded to students) કરવામાં આવશે.

આ વર્ષે IRMAની 42મી બેચ ઉત્તીર્ણ થઈ છે. જે વિદ્યાર્થીઓને દેશમાં સહકારિતા ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ડિગ્રી એનાયત કરવામાં આવશે.

આવતીકાલે અમિત શાહ આણંદના મેહમાન -કેન્દ્ર સરકારના ગૃહ અને સહકારીતા પ્રધાન અમિત શાહ આણંદના મેહમાન બનવાના છે. અમિત શાહ 12મીઓ જૂને રવિવારના રોજ અમિત શાહનું હેલિકોપ્ટર દ્વારા કૃષિ યુનિવર્સીટીના હેલિપેડ ગ્રાઉન્ડમાં સવારે સ્વાગત કરાશે. એ બાદ તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટના પદવીદાન સમારોહમાં(Graduation Ceremony of IRMA) હાજર રહેશે. આ સાથે સાથે 10.45થી બપોરે દોઢ વાગ્યા સુધી અમિત શાહ ઈરમા યુનિવર્સીટીમાં રોકાશે તેવી શક્યતા છે.

આ પણ વાંચો:Eight years of Modi rule : જાણો ક્યાં બનશે દરિયા પર કેબલ કાર, કોંગ્રેસને સાણસામાં લઇ શાહે મોદી શાસનને કેવું વધાવ્યું જૂઓ

આ વર્ષે IRMAની 42મી બેચ ઉત્તીર્ણ -સમગ્ર મામલે સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ડો.ઉમાકાંત દાસ દ્વારા મીડિયા સમક્ષ આપવામાં આવેલા માહિતીમાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી દેશમાં ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રગતિ અપાવે એવી કાર્યક્ષમ વિદ્યાર્થીઓને તાલીમ આપતી આ સંસ્થાની સ્થાપના દીર્ઘદ્રષ્ટા ડો. વર્ગીસ કુરિયન દ્વારા કરવામાં આવી હતી. જે પણ તેમના સિદ્ધાંતો પ્રમાણે ચાલી રહી છે. આ વર્ષે IRMAની 42મી બેચ ઉત્તીર્ણ થઈ છે. જે વિદ્યાર્થીઓને દેશમાં સહકારિતા ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ડિગ્રી એનાયત કરવામાં આવશે.

આ પણ વાંચો:કેન્દ્રિય ગૃહપ્રધાને દિવમાં કરી મહત્વની બેઠક, મહારાષ્ટ્રના CM ગેરહાજર

તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે અંદાજે 250 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ કોર્ષમાંથી સફળતા પૂર્વક અભ્યાસ કરીને ઉત્તીર્ણ થયા છે. જે વિદ્યાર્થીઓને રવિવારે 12 જૂનના રોજ સંસ્થાના કેમ્પસમાં સવારે 11થી 1:30 વાગયા સુધીમાં યોજાનાર પદવીદાન સમારંભમાં પદવી એનાયત કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details