ગુજરાત

gujarat

By

Published : Jun 6, 2021, 3:13 PM IST

ETV Bharat / state

હાડગુડ ગામના નવસર્જન ગૃપ દ્વારા રોડના નવનિર્માણ મુદ્દે ચલાવાયેલી લડત રંગ લાવી

આણંદ જિલ્લાના હાડગુડના નવસર્જન ગૃપ ( Navsarjan Group ) દ્વારા ગામમાં બનેલા તકલાદી રોડ બાબતે આંદોલન કરવમાં આવ્યું હતું. જેના ભાગ રૂપે રોડનું બેસણું પણ યોજાયું હતું. હવે ગામના સ્થાનિકોની રોડ માટે ભરાયેલી શોક સભા અંતે રંગ લાવી છે.

નવસર્જન ગૃપ
નવસર્જન ગૃપ

  • હાડગુડના નવસર્જન ગૃપ( Navsarjan Group )દ્વારા રોડના પુન:નિર્માણની માગ
  • સરપંચ સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરાઇ
  • હાડગુડના ગ્રામજનોમાં ખુશાલીની લહેર પ્રસરી જવા પામી

આણંદ :જિલ્લાના હાડગુડ ગ્રામ પંચાયત દ્વારા નિર્માણાધીન માર્ગ ખૂબ જ ટૂંકા ગાળામાં ખસ્તા થઈ જતા હાડગુડના નવસર્જન ગૃપ ( Navsarjan Group ) દ્વારા રોડના પુન:નિર્માણની માગને લઈને સરપંચ સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્રના પેટનું પાણી ન હલતા નવ યુવાનોએ જર્જરિત રોડને મૃત જાહેર કર્યો હતો.

રોડના નવનિર્માણ મુદ્દે ચલાવાયેલી લડત રંગ લાવી

નવનિર્માણ કાર્યને મુદ્દો બનાવી નવસર્જન ગૃપ દ્વારા આંદોલનનું રણશિંગુ ફૂંકવમાં આવ્યું

મીણબત્તીઓ સળગાવી રોડની શોકસભા પણ યોજવામાં આવી હતી. રોડના નવનિર્માણ કાર્યને મુદ્દો બનાવી નવસર્જન ગૃપ ( Navsarjan Group ) દ્વારા આંદોલનનું રણશિંગુ ફૂંકવમાં આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને નરકાગાર રોડને તોડી તેની જગ્યાએ ફરી વખત નવીન માર્ગના નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી.

રોડના નવનિર્માણ મુદ્દે ચલાવાયેલી લડત રંગ લાવી

ગ્રામપંચાયતના સત્તાધીશો વિરુદ્ધ ગોબાચારીના આક્ષેપો પણ થયા

હાડગુડ ગ્રામપંચાયત દ્વારા 14મા નાણા પંચની ગ્રાન્ટમાંથી 2.70 લાખના ખર્ચે પોસ્ટ ઓફિસથી લઈને ભાથીજી મંદિર સુધીનો સી. સી. રોડ બનાવાયો હતો. જે ખૂબ જ ટૂંકાગાળામાં ખખડધજ હાલતમાં ફેરવાઈ જતા હાડગુડ ગ્રામ પંચાયતના સત્તાધીશો વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થયા હતા.

રોડના નવનિર્માણ મુદ્દે ચલાવાયેલી લડત રંગ લાવી

મૃત:પ્રાય હાલતમાં ફેરવાયેલા રોડને તોડી નાંખવાની શરૂઆત કરાઇ

નવસર્જન ગૃપ ( Navsarjan Group ) સહિત ગામના યુવાનોએ હાડગુડ ગ્રામ પંચાયત, TDO તેમજ DDO અને કલેક્ટર સુધી ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદો કરીને રોડમાં ભ્રષ્ટાચાર અને માર્ગના પુન:નિર્માણની માગ કરવામાં આવી હતી. જેને પગલે પરિસ્થિતિને પારખી ગયેલા હાડગુડ ગ્રામ પંચાયત તંત્ર હરકતમાં આવ્યું હતું. મૃત:પ્રાય હાલતમાં ફેરવાયેલા રોડને તોડી નાંખવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. જર્જરિત રોડની જગ્યાએ ફરીવાર નવેસરથી રોડ બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવતા હાડગુડના ગ્રામજનોમાં ખુશાલીની લહેર પ્રસરી ગઇ હતી.

પંચાયત તંત્રને ફરીવાર નવેસરથી માર્ગના નવનિર્માણની ફરજ પડી

ભ્રષ્ટાચારથી ખદબદતા સરકારી તંત્રમાં ન્યાયની આપેક્ષા ઠગારી નિવડતી હોય છે. તેવા ટાણે હાડગુડના નવયુવાનોએ ગોબચારી સામે આંદોલન છેડતા પંચાયત તંત્રને ફરીવાર નવેસરથી માર્ગના નવનિર્માણની ફરજ પડી હતી. આ તબક્કે નવસર્જન ગૃપ ( Navsarjan Group ) તરફથી લડતમાં સહભાગી થનારા સર્વે લોકો તેમજ હાડગુડ ગ્રામ પંચાયત તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રોડના નવનિર્માણ મુદ્દે ચલાવાયેલી લડત રંગ લાવી

આ પણ વાંચો : આણંદના હાડગુડમાં યોજાઇ રોડ શોક સભા, જાણો શું છે કારણ

રોડમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે મીણબત્તીઓ પ્રજવલ્લિત કરી રોડની શોકસભા યોજી

આણંદના હાડગુડના યુવકોએ થોડા જ સમયમાં બનાવવામાં આવેલા રોડમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે મીણબત્તીઓ પ્રજવલ્લિત કરી રોડની શોકસભા યોજી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ રોડ ટૂંકા સમયમાં જ બનાવ્યો હોવા છતાં તે ખખડધજ થઇ ગયો હોવાથી શોક સભા યોજી હતી.

રોડના નવનિર્માણ મુદ્દે ચલાવાયેલી લડત રંગ લાવી

ગણતરીના દિવસોમાં જ તૂટી જતા હાડગુડ ગ્રામ પંચાયતની પોલ ખુલી

આ રોડ બન્યા પછી એકદમ ટૂંકાગાળામાં ફક્ત ગણતરીના દિવસોમાં જ તૂટી જતા હાડગુડ ગ્રામ પંચાયતની પોલ ખુલી ગઇ હતી. પંચાયતના સત્તાધીશોએ રોડમાં મસમોટી ખાયકી આચરી હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ રોડને પુનઃ નવનિર્મિત કરવા માગણી ઉચ્ચારી હતી.

રોડના નવનિર્માણ મુદ્દે ચલાવાયેલી લડત રંગ લાવી

રોડની આત્માની શાંતિ માટે સોશિયલ ડિસ્ટનસિંગ સાથે મીણબત્તીઓ સળગાવી

ગ્રામ પંચાયતથી તાલુકા પંચાયત સુધી ધક્કા ખાઈને ગ્રામજનો થાકી ગયા હતા. આખરે ન છૂટકે જાગૃત નાગરિકોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનનું રણશીંગુ ફૂંકી દીધું હતું. જે અંતર્ગત સાંજે જાગૃત ગ્રામજનોએ ભેગા થઈ રોડની બન્ને સાઈડ મીણબત્તીઓ રાખી RIPના નારા સાથે તાજા બનેલા રોડની આત્માની શાંતિ માટે સોશિયલ ડિસ્ટનસિંગ સાથે મીણબત્તીઓ સળગાવી સજ્જડ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details