ગુજરાત

gujarat

આણંદમાં ખેડૂતો પ્રાકૃતિક ખેત પેદાશ વેચી શકે તે માટે અમૃત આહાર મહોત્સવનો આજથી પ્રારંભ

By

Published : Dec 25, 2020, 5:14 PM IST

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાની ખેત પેદાશ સીધુ જ ગ્રાહકોને વેચી શકે તે માટે આણંદના વૃંદાવન ગ્રાઉન્ડમાં અમૃત આહાર મહોત્સવ યોજાયો હતો, જેમાં આણંદ જિલ્લાના ખેડૂતોએ ગ્રાહકોને પ્રાકૃતિક કૃષિ પેદાશો વિશે ગ્રાહકોને માહિતી આપી હતી. આ મહોત્સવની શરૂઆત આજથી કરવામાં આવી છે. જ્યારે 31 ડિસેમ્બરે આ મહોત્સવની પૂર્ણાહૂતિ થશે.

આણંદમાં ખેડૂતો પ્રાકૃતિક ખેત પેદાશ વેચી શકે તે માટે અમૃત આહાર મહોત્સવનો આજથી પ્રારંભ
આણંદમાં ખેડૂતો પ્રાકૃતિક ખેત પેદાશ વેચી શકે તે માટે અમૃત આહાર મહોત્સવનો આજથી પ્રારંભ

  • આણંદમાં આજથી અમૃત આહાર મહોત્સવનો પ્રારંભ
  • શહેરના વૃદાવન ગ્રાઉન્ડમાં મહોત્સવનું કરાયું આયોજન
  • શુદ્ધ ઘી, સરગવાનો પાઉડર, પ્રાકૃતિક શાકભાજી બન્યા આકર્ષણનું કેન્દ્ર
  • આજથી 31 ડિસેમ્બર સુધી આ ઉત્સવ ઉજવવામાં આવશે

આણંદઃ આણંદ શહેરના વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે અમૃત આહાર મહોત્સવને ખૂલ્લો મુકવામાં આવ્યો છે, જેમાં આણંદ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ગ્રાહકોને સીધું ખેત ઉત્પાદનનું વેચાણ કરી શકે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

ખેડૂતો પ્રાકૃતિક પેદાશ સીધી ગ્રાહકોને વેચી શકે તે માટે મહોત્સવ યોજાયો
આ વિશેષ મહોત્સવ 31 ડિસેમ્બર સુધી યોજાશેઆજે ખુલ્લું મુકવામાં આવેલા આ અમૃત આહાર મહોત્સવને 31 ડિસેમ્બર સુધી ખુલ્લું રાખવામાં આવશે. અહીં જિલ્લામાંથી આવેલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમની ખેત પેદાશોનું સીધું વેચાણ ગ્રાહકોને કરશે. આથી પ્રાકૃતિક કૃષિ પેદાશો વિશે ગ્રાહકોમાં જાગૃતિ આવે.
ખેડૂતો પ્રાકૃતિક પેદાશ સીધી ગ્રાહકોને વેચી શકે તે માટે મહોત્સવ યોજાયો
આકર્ષકનું કેન્દ્ર બની ઘણી વિશેષતા ધરાવતી કૃષિ પેદાશોઆ મહોત્સવમાં ઘણી પ્રાકૃતિક કૃષિ પેદાશો આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેમાં શુદ્ધ ગીર ગાયનું ઘી, સરગવાનો પાઉડર, સરગવાના પર્ણનો પાઉડર, પ્રાકૃતિક હળદરનો પાઉડર, લીલી શાકભાજી, કાળા ઘઉં અને બ્રાઉન ચોખા પણ વેચાણ માટે મૂકવામાં આવ્યા છે.
ખેડૂતો પ્રાકૃતિક પેદાશ સીધી ગ્રાહકોને વેચી શકે તે માટે મહોત્સવ યોજાયો
વર્તમાન સમયમાં પ્રકૃતિ ખેત પેદાશો સવાસ્થવર્ધક સાબિત થાય છેહાલના સમયમાં નાગરિકો સ્વાસ્થ માટે જાગૃત બન્યા છે એટલે પ્રાકૃતિક ખેત પેદાશોની માગ વધી છે. રાસાયણિક પદાર્થોના ઉપયોગથી પેદા કરવામાં આવેલા કૃષિ ઉત્પાદનોના સેવનથી નાગરિકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થતો હોય છે. આથી મેદસ્વિતા, હાર્ટ એટેક, કેન્સર, બ્લડ પ્રેશર જેવી જટિલ બીમારીઓના ભોગ બનતા હોય છે. જ્યારે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના સેવનથી સ્વાસ્થ્યને લાભ થતો હોય છે. નાગરિકો આ કૃષિ પેદાશોની ખરીદી તરફ રસ ધરાવતા બન્યા છે.

ABOUT THE AUTHOR

...view details