અમરેલી ખાતે ભાજપ દ્વારા વિજય સંકલ્પને બદલે વિજય વિશ્વાસ સંમેલનનું બેનર લગાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ભાજપના કેન્દ્રીયપ્રધાન પુરૂષોતમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પુરૂષોતમ રૂપાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિજય બને તેવા સંકલ્પ સાથે ભાજપના કાર્યકર્તાઓ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપના વિજય સંકલ્પ સંલેમનના કાર્યક્રમમાં વિજય વિશ્વાસ સંમેલનના બેનર લગાવ્યા
અમરેલી : આજે દેશભરમાં વિજય સંકલ્પ સમેલન ભાજપ ત્રણ દિવસ સુધી ચાલી રહ્યું છે તેના ભાગ રૂપે અમરેલીમાં વિજય સંકલ્પને બદલે સ્ટેજ બેનરમાં વિજય વિશ્વાસ સંમેલન કરીને પ્રથમ સંમેલનના બેનરમાં જ ગોટાળો જોવા મળ્યો હતો.
કેન્દ્રીયપ્રધાન પુરૂષોતમ રૂપાલા
તેમણે વધુ જણાવતા કહ્યું કે ભાજપે 26 બેઠકોનો અભિપ્રાય સેન્ટ્રલ પાર્લામેન્ટ્રબોર્ડને આપી દીધો છે. બોર્ડયોગ્ય સમયે આ બધી જાહેરાતો કરશે.