ગુજરાત

gujarat

માંડલ બેચરાજી SIR ડેવલોપમેન્ટ ઓથોરિટીના કાર્યાલયનું મુખ્યપ્રધાને ઈ-લોકાર્પણ કર્યું

By

Published : Dec 12, 2020, 11:26 AM IST

માંડલ બેચરાજી સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયોનલ ડેવલોપમેન્ટ ઓથોરિટીના નવનિર્મિત એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડીંગ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

માંડલ બેચરાજી
માંડલ બેચરાજી

મુખ્યપ્રધાનના હસ્તે ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

SIR ડેવલોપમેન્ટ ઓથોરિટીના નવનિર્મિત એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડીંગનું ઈ-લોકાર્પણ કરાયું

અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદ ગીરી ગોસ્વામી ઈ- લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા

SIR ડેવલોપમેન્ટ ઓથોરિટીના નવનિર્મિત એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડીંગનું ઈ-લોકાર્પણ કરાયું
અમદાવાદ : માંડલ તાલુકાના હાંસલપુર બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયોનલનું ગુજરાતના મુખ્યપ્રધાને ઈ-લોકાર્પણ કર્યું હતું. વિકાસના ક્ષેત્રે અગ્રેસર અને સમગ્ર વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા ધરાવતું ગુજરાત રાજ્ય સંવેદનશીલ અને પારદર્શી સરકારના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી વિકાસની દિશામાં આગેકૂચ કરી રહ્યું છે
મુખ્યપ્રધાનના હસ્તે ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

નવનિર્મિત એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડીંગનું ઈ-લોકાર્પણ કરાયું

આ ઈ-લોકાર્પણના હાંસલપુર ખાતે આવેલ આ કાર્યાલયના સ્થળે આજરોજ અમદાવાદ જિલ્લા વિકાસ મહેશ અરુણ બાબુ, પુર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા, તેજશ્રીબેન પટેલ, પ્રાંત સુરભી ગૌતમ, અમદાવાદ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ હર્ષદગીરી ગૌસ્વામી, જિ.પ્રમુખ જીતેન્દ્રસિંહ, તથા ઉપપ્રમુખ ભાવીબેન પટેલ, સાંસદ સભ્ય ડૉ.મહેન્દ્રભાઈ મુજપુરા, માંડલ મામલતદાર જી.એસ.બાવા, તથા તાલુકા વિકાસ અધિકારી એસ.એલ.નીસરતા,માર્ગ મકાન સ્ટેટ વિપુલભાઈ ઓઝા, માંડલ તાલુકાના કાર્યકરોમાં ધીરજ રાઠોડ,રાજુભાઈ શાહ,મહેશ ચાવડા, નવનિયુક્ત મંત્રી કિર્તીબેન આચાર્ય, નાયબ કલેક્ટર પારૂલબેન, માંડલ ભાજપ સંગઠન પ્રમુખ દશરથ પટેલ,માંડલ એ.પી.એમ.સી ચેરમેન ડી.આઈ પટેલ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં

.

ABOUT THE AUTHOR

...view details