સરથાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા PIએ આ મામલે 1 કરોડ રૂપિયાની માગ કરી હતી. અંતે 30,50,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. જે રકમ 9 માર્ચથી 24 માર્ચ સુધીમાં આપી દેવાની હતી. જો કે આ તમામ આરોપીઓ વિરૂદ્ધ ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સુરત લાંચ કેસઃ PI એન.ડી.ચૌધરીની આગોતરા જામીન અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી
અમદાવાદ: સુરત લાંચ કેસમાં સરથાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર એન.ડી. ચૌધરીની આગોતરા જામીન અરજી બુધવારના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે. જેમાં PI પર આરોપ છે કે, તેમને લક્ઝરી બસોના બોગસ રજીસ્ટ્રેશન સાથે ચેડા કરનાર અફઝલની ધરપકડ કરી હતી. આ કેસમાં અફઝલને પકડી તેની સામે કેસ દાખલ ન કરવા માટે રૂપિયાની માગણી કરી હતી.
જો કે, સુરત લાંચ કેસમાં સુપ્રિમ કોર્ટ દ્વારા આગોતરા જામીનની અરજી ફગાવતા સ્પેશિયલ જજ દ્વારા કલમ 70 મુજબ વોરન્ટ ઈસ્યુ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં આરોપીઓ હાજર રહ્યા ન હતા. જે બાદ તેઓને 82 મુજબનો વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત 30માં તેઓને હાજર રહેવું ફરજીયાત છે. જો હજુ પણ તેઓ હાજર નહી થાય તો આરોપીઓને 83 મુજબનો વોરંટ ઇસ્યુ કરવામાં આવશે. જે બાદ તેઓને મિલ્કત પણ જપ્ત કરવામાં આવી શકે છે. 82 મુજબનું વોરંટ સરકારી કર્મચારી વિરુદ્ધ ઇસ્યું કરવામાં આવ્યો હોય તેવો પહેલો કિસ્સો જોવા મળ્યો છે.