ગુજરાત

gujarat

By

Published : Jul 29, 2020, 2:14 PM IST

ETV Bharat / state

શાહપુર હિંસા: હાઈકોર્ટે વધુ 4 આરોપીઓના જામીન મંજૂર કર્યા

ગત્ત મે મહીનામાં સંપૂર્ણ લૉકડાઉન દરમિયાન અમદાવાદના શાહપુર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં બુધવારે હાઇકોર્ટે અન્ય 4 આરોપીઓના જમીન મંજૂર કર્યા હોવાનું સામે આવ્યું છે. 15 હજારના પર્સનલ બોન્ડ પર 4 આરોપીઓના જામીન મંજુર કરાયા છે.

HC
HC

અમદાવાદ: ગત્ત મે મહીનામાં સંપૂર્ણ લૉકડાઉન દરમિયાન અમદાવાદના શાહપુર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં બુધવારે હાઇકોર્ટે અન્ય 4 આરોપીઓના જમીન મંજૂર કર્યા હોવાનું સામે આવ્યું છે. 15 હજારના પર્સનલ બોન્ડ પર 4 આરોપીઓના જામીન મંજૂર કરાયા છે.

ગુજરાત હાઈકોર્ટે આરોપી આરીફ કાગદી, વસીમ શેખ, રફીક શેખ, અલતાફ હુસેનના જામીન મંજૂર કર્યા છે. ભારત દેશ ન છોડવાની શરતે જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આરોપીઓને દર સોમવારે 6 મહિના સુધી પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાનો પણ આદેશ કર્યો છે. 15 હજારના પર્સનલ બોન્ડ પર 4 આરોપીઓને જામીન મુક્ત કરવામાં આવ્યા છે.

અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના જજ પી.ટી. રામે ગત્ત શુક્રવારે બે આરોપી ફરાઈજ ખાન અને આદમ અજમેરીના જામીન મંજુર કર્યા હતા. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદીએ આ કેસના ત્રણ આરોપીઓના જામીન મંજુર કર્યા હતા.

અગાઉ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એ.જી. ઉરાઈઝીએ શાહપુર હિંસામાં આરોપી ઇલમુદિન કાગદી, ઝુબેર મિર્ઝા, મહેબૂબ કાગદી અને રઉફ શેખના જામીન મંજૂર કર્યા છે. આ સિવાય અન્ય 5 આરોપી દ્વારા કરવામાં આવેલી જામીન અરજીને પરત ખેંચી લેવામાં આવી છે. પોલીસે આ કેસમાં 27 આરોપીઓની ધરપકડ કરી હતી.

અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે તમામ 27 આરોપીઓના જામીન ફગાવ્યા હતા. અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં અગાઉ આરોપીઓને કોર્ટમાં 4 દિવસ મોડા રજૂ કરવા મુદ્દે પોલીસનો ઉધડા લીધા હતા. કોર્ટે પોલીસને પ્રશ્ન કર્યો કે, પથ્થરમારાને કેસમાં હત્યાના પ્રયાસનો ગુનો કઈ રીતે દાખલ થઈ શકે. કોર્ટે પૂછ્યું કે, આવી ઘટનામાં પોલીસ રાયોટિંગની કલમ પ્રમાણે ગુનો દાખલ કરતી હોય છે, એવું તો શું ખાસ છે આ કેસમાં કે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો હતો.

આરોપીઓને કોર્ટમાં મોડા રજૂ કરવા મુદ્દે પોલીસે જવાબમાં જણાવ્યુ હતું કે તમામ આરોપીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમના રિપોર્ટ બાદ રજૂ કરવામાં આવ્યા હતા. આ આરોપીઓ પૈકી ત્રણના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. નોંધનીય છે કે 8 મે ના રોજ સાંજે 6.15 વાગ્યે શાહપુરમાં લૉકડાઉનનું પાલન કરાવતા RAF જવાનએ બળનો ઉપયોગ કરતા ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. જયરબાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details